Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વેજલપુર બહુચરાજી ઓવારા પાસેના મકાનમાં ગેસ સિલિન્ડરમાં લીકેજ થવાથી લાગી આગ.

Share

ભરૂચ જીલ્લાના વેજલપુર બહુચરાજી ઓવારા પાસેના મકાનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. ગેસ સિલિન્ડરમાં લિકેજ બાદ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. નગરપાલિકાના બે જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો જેમાં સદનસીબે મોટી દુર્ધટના ટળી જવા પામી હતી.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર, ભરૂચ જીલ્લામાં આવેલ વેજલપુર બહુચરાજીના ઓવારા પાસેના મકાનમાં હોનારત સર્જાઈ હતી. રસોડામાં ગેસ સીલીન્ડરમાં લીકેજ થયો હતો જેની ગંધથી ઘરના લોકોને ખબર પડી હતી જે બાદ એકાએક આગ લાગી હતી અને થોડી જ ક્ષણોમા આગ બેકાબુ બની હતી જેથી ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી. જેની જાણ નગરપાલિકાને થતા પાલિકાના બે ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર પહોચી ગયા હતા અને પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને સદનસીબે કોઈ પણ જાણહાની ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

Share

Related posts

વડોદરા શહેરમાં પ્રથમ દિવસે ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇનની ટીમે ૧૯ ઘાયલ પક્ષીઓની કરી સારવાર

ProudOfGujarat

અંકલેશ્વરની નગરપાલિકા કચેરીમાં કોરોના ગાઈડલાઇનનાં ધજાગરા…!!! કર્મચારીઓ જ માસ્ક વગર દેખાયા.

ProudOfGujarat

રાજ્યસભાનાં સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિનાં કોષાધ્યક્ષ અહમદભાઈ પટેલે મુસ્લિમ બિરાદરોને ઇદની શુભેચ્છા પાઠવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!