Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : લખતર એપીએમસી માં 12 દિવસ માં 50,000 મણ કપાસની હરાજી થઇ.

Share

લખતર એપીએમસી માં આસો સુદ એકમ નવરાત્રીના પ્રથમ દિવસથી ખેડુતોના ચોમાસુ પાક માટે જાહેર હરાજી શરૂ કરવામાં આવી છે. જાહેર હરાજી શરૂ કરાતા ખેડૂતોને ખુલ્લું બજાર મળતા સીધો વેપારી સાથે સંપર્ક થતો હોય ખેડૂતને ઉંચા ભાવ મળવા સાથે રોકડા રૂપિયા મળવાનું શરૂ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે સાથે લખતર એપીએમસી ચેરમેન હિતેન્દ્રસિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણે લખતર એપીએમસી ગુજરાતનું સર્વ પ્રથમ એપીએમસી છે જેમાં ખેડૂત કે વેપારી પાસેથી કોઈ સેસ કે ટેક્સ લેવામાં આવતો નથી આનો સીધો ફાયદો કપાસ વેચવા આવનાર ખેડૂતને થાય છે ખેડૂતને કપાસના ઉંચા ભાવ મળે છે.

લખતર એપીએમસીમાં કપાસનો ભાવ 1200 રૂપિયાથી 1700 રૂપિયા આવતો હોય સુરેન્દ્રનગર જિલ્લાના લખતર સિવાયના અન્ય તાલુકાના અન્ય જિલ્લાના ખેડૂતો વેપારીઓ લખતર એપીએમસીમાં કપાસ ખરીદવા અને વેચવા આવી રહેતા ખેડૂત સાથે મજૂરી કરતા લોકોને પણ આર્થિક ફાયદો થઈ રહ્યો છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નડિયાદ : કઠલાલના ભોઇના મુવાડી ખાતેથી ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

જામનગરના ધ્રોલ તાલુકામાં SGFI સીધી રાજ્યકક્ષાની અંડર 19 સોફ્ટબોલ સ્પર્ધા યોજાઈ

ProudOfGujarat

ભરૂચ-સમારકામ અર્થે તારીખ ૩૦-૦૪-૧૯ ના રોજ અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે:DGVCL

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!