Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ભરૂચથી સુરતને જોડતા ટ્રેક પર વાહનોની લાંબી કતારને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો.

Share

ભરૂચ નેશનલ હાઇવે ટ્રાફિકજામની સ્થિતિને પગલે પ્રખ્યાત છે. પહેલાં બિસ્માર સરદાર બ્રિજને પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતું હતું જે બાદ કરોડાના ખર્ચે નવો કેબલ બ્રિજ બનાવ્યા બાદ આંશિક રીતે ટ્રાફિકની સ્થિતિમાં સુધારો થયો હતો. હાલ ચોમાસાની સિઝનમાં ખાબકેલ ભારે વરસાદને પગલે હાઇવે બિસ્માર થતાં માર્ગ પર મસમોટા ખાડાઓ પડી જવાથી ફરી ટ્રાફિકજામની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે દિવાળી તહેવારને લઈ હાઇવે પર વાહનોનું ભારણ વધ્યું છે જેને પગલે હાલ ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે.

અંકલેશ્વર પાસે ભરૂચ-સુરત ટ્રેક પર આજરોજ ટ્રાફિકજામની પરિસ્થિતીનું નિર્માણ થયું હતું જેને પગલે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વાહન ચાલકોએ કલાકો સુધી ભારે ટ્રાફિકજામ ફસાઈ જવાને કારણે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ક્રિષ્ના શ્રોફ તેની ટીવી ડેબ્યૂ કરે છે, ખતરોં કે ખિલાડી પર તેનો પહેલો સ્ટંટ માત્ર આટલી મિનિટોમાં પૂર્ણ કરે છે!

ProudOfGujarat

આણંદ : બોરસદની સબ-જેલમાંથી ચાર અન્ડરટ્રાયલ કેદીઓ ફરાર, પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું

ProudOfGujarat

અજાણ્યા મહિલાનો મૃતદેહનો ભેદ ખુલ્યો. પતીએજ પત્નીની કરપીણ હત્યા કરી પત્ની ની લાશ કચરા નીચે છુપાવી દીધી હતી જાણો કેમ ? કેવી રીતે અને ક્યા ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!