Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં જલારામ બાપાની 222 મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ.

Share

‘ટુકડો ત્યાં હરિ ઢૂંકડો અને દેને કો ટુકડા ભલા લેને કો હરિ કા નામ’ આ સૂત્રને સાર્થક કરનાર સૌરાષ્ટ્રના સંત શિરોમણિ જલારામબાપાની આજે 222 મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી ઠેર-ઠેર થઈ રહી છે. કોરોનાના લોકડાઉન બાદ આજે પ્રથમ વખત જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે ત્યારે જલારામબાપાના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આજે જલારામ બાપાની ૨૨૦ મી જન્મજયંતિ હોય જેના ભાગરૂપે અંકલેશ્વર ગડખોલ સહિતના ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જલારામ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિરે ગોલાવાવ ગોલવાડ પંચ દ્વારા જલારામ જયંતિ નિમિત્તે શ્રદ્ધાળુઓ દ્વારા મહા આરતી, હવન, પૂજા, પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ તકે ભાવિકોએ જલારામ બાપાની મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઇ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ભરૂચ અંકલેશ્વર ગડખોલ સહિતના વિસ્તારના લોહાણા મહાજનના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

સુરતના અમરોલી વિસ્તારમાં માત્ર 10 રૂપિયાની માંગણીના બદલામાં યુવકે મોત જોવું પડયું હોવાની ધટનાએ અરેરાટી ફેલાવી હતી.

ProudOfGujarat

અમદાવાદ ખાતે નમો સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નેશનલ ગેમ્સનું ઉદઘાટન પ્રસંગે ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ૯૩૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.

ProudOfGujarat

ડાન્સ + સિઝન 5 લઈને પરત આવી રહ્યો છે!*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!