Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આચારસંહિતાની અમલીકરણની શરૂઆત.

Share

ભરૂચ જીલ્લામાં પંચાયતની ચૂંટણીની જાહેરાત થતાં જ આચારસંહિતા લાગુ પાડવામાં આવી છે. હવે તંત્ર દ્વારા દીવાલો પર સરકારી યોજનાઓની જાહેરાત તેમજ યોજનાઓ અંગે અન્ય પ્રચાર પ્રસારની તમામ બાબતોને દૂર કરવામાં આવશે. આચારસંહિતાનાં કડક અમલ સાથે પંચાયતની ચૂંટણીનું વાતાવરણ શરૂ થઈ ગયું છે ત્યારે ગામે ગામ કોણ ઉમેદવારી કરશે અને કોણ નહીં કરે તેના સમીકરણો પણ મુકાવા માંડયા છે.

ભરૂચ જિલ્લાની 483 ગ્રામપંચાયતો અને 20 પંચાયતોમાં પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે 500 કરતાં વધુ ગામોમાં ચૂંટણી અંગેનો રાજકીય ગરમાવો ખૂબ વધી ગયો છે. તાજેતરમાં જ વિવિધ રાજકીય પક્ષો દ્વારા સંગઠન મજબૂત કરવા અંગે વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ હવે આચારસંહિતાની અમલ શરૂ થતાં જ ખાતમુહૂર્ત વિધિ લોકાર્પણ તેમજ યોજનાઓની જાહેરાતો પર કેટલાક દિવસો માટે અલ્પવિરામ લાગી જશે એમ ચર્ચાય રહ્યું છે.

Advertisement

Share

Related posts

કેવડીયાના સહદેવસિંહ સોલંકી ક્રિકેટ ક્લબ ના સિલેક્ટેડ ક્રિકેટરો ટી.-20 વર્લ્ડ કપ રમેલા ઓમાનના ખેલાડી પાસેથી ક્રિકેટ કોચીંગ મેળવશે.

ProudOfGujarat

વડોદરા : કરજણમાં વર્લ્ડ ટોબેકો ડે નિમિતે વ્યસન મુક્તિ રેલી યોજાઈ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ૨૦૦ વર્ષ જુની હોમ કરવાની પરંપરા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!