Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ખાતે ગૌકથાની કળશ યાત્રા કાઢવામાં આવી.

Share

સુરત જીલ્લાનું માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં સૌ પ્રથમવાર ગૌ કૃપા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ભવ્ય કથા 6/12/21 થી 12/12/21 સુધી રાત્રે 8 થી 11 કલાક સુધી કથાનું રસપાન સાધ્વી દ્વારા કરાવવામાં આવશે. આજે સવારે કળશ યાત્રા કાઢવામાં આવી હતી. કળશ યાત્રા સાંઈ મંદિરથી નીકળી બજેટ ફળીયુ, બજાર વિસ્તાર, સ્ટેશન વિસ્તારમાં ફેરવવામા આવી હતી.

છેલ્લા 31 વર્ષથી ગૌમાતાની રક્ષા અને પર્યાવરણ જાગૃતિ માટે પદ યાત્રા કરી રહેલા ગુરુદેવ ભગવાનના પરમ શિષ્ય સાધ્વી ગાર્ગી ગોપાલ સરસ્વતીજીના સાનિધ્યમાં સાંઈ મંદિર વાંકલ ખાતે આયોજન કરવામાં આવ્યું. આ કળશ યાત્રામાં મારવાડી સમાજના અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ધરા ગુજરાતની તો ભરતી પણ ગુજરાતીની માંગ સાથે ઓએનજીસી મજદૂર સંઘનો વિરોધ પ્રદર્શન

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં અણખી ગામ પાસે આવેલી પીડીલાઇટ કંપનીનાં કામદારોને પગાર ન મળતા હોબાળો કરવામાં આવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં આમલાખાડીની સફાઈ યોગ્ય રીતે ન થતા માત્ર એક ઈંચ વરસાદમાં જ પૂર જેવી હાલત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!