Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : નિવૃત કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે નર્મદા જિલ્લા નિવૃત કર્મચારી મંડળ ટ્રસ્ટ દ્વારા નર્મદા કલેકટરને પાઠવ્યું આવેદન.

Share

રાજપીપલા ખાતે કલેકટર કચેરીએ નર્મદા જિલ્લા નિવૃત કર્મચારી મંડળ ટ્રસ્ટના પ્રમુખ છગનભાઇ વણકરની આગેવાનીમા નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં નિવૃત કર્મચારીઓના 18 જેટલાં પડતર પ્રશ્નોના નિકાલ પ્રશ્ને રાજપીપલા ખાતે મુખ્યમંત્રીને કરાઈ લેખિત રજૂઆત કરવામાં આવી હતી

આ પ્રસંગે પ્રમુખ છગનભાઇ વણકર તથા ઉપપ્રમુખ કલ્પિત ભાઈ પાટીલ, મહામંત્રી નવલભાઇ વસાવા, સહમંત્રી સુખાભાઈ બારીયા, ખજાનચી ફતેસિંહ ભાઈ વસાવા તથા નર્મદા જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળના સદસ્ય દીપકભાઈ જગતાપ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહી આવેદન આપી પડતર પ્રશ્નોનો નિકાલ કરવા રજૂઆત કરી હતી.

મુખ્ય મંત્રીને ઉદ્દેશીને લખાયેલા આવેદનમા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય પેન્સનર સંકલન સમિતિના ઠરાવથી ગુજરાત સ્ટેટ પેન્સનર ફેડરેશનના આદેશ અનુસાર નિવૃત કર્મચારીઓના ઘણા વખતથી પડતર પ્રશ્નો છે તેનો વહેલી તકેનિકાલ લાવવા અમારા પ્રશ્નોનો સત્વરે ન્યાયી ઉકેલ લાવવા રજૂઆત કરી હતી જેમાં

Advertisement

૧. ડી.એ.ના હપ્તા તા. ૦૧-૦૧-૨૦, ૦૧-૦૭-૨૦ અને ૦૧-૦૧-૨૧ થી ફીઝ છે તે છૂટા કરો.,
૨. મેડીકલ ભથ્થુ રૂ.૩૦૦/-ના સ્થાને કેન્દ્રના ધોરણેરૂ.૧,૦૦૦/- આપો.
૩. સાતમા પગાર પંચના સચિવોની સમિતિના ફાઈનલ રિપોર્ટમુજબ ૩% આસપાસ વધારાનું પેન્શન ચૂકવવા માગણી છે.
૪. કોમ્યુટેડ (રીસ્ટોરેશન) પેન્શન ૧૫ વર્ષના સ્થાને ૧૨ વર્ષની ગણતરીથી લેવું.
૫. નવી પેન્શન યોજનાના સ્થાને જૂની પેન્શન યોજના લાગુ કરવા
૬. ૮૦ વર્ષ પછી પેન્શન વધારાની ફોર્મ્યુલા છે તેમાં પરિવર્તન કરી ૬૫ વર્ષથી લાગુ કરવા.
7. પેન્શનરોને ઈન્કમટેક્ષમાં મુકિત આપો.,
૮. માતા પિતાની સેવા અને અન્ય કારણોસર મજબૂર થયેલ કુંવારી, અપરણિત દિકરી, વિધવા ત્યકતા દિકરીઓ તથા વિધુરને પેન્શન આજીવન આપવાની માંગ કરી છે.
૯. વન રેક, વન પેન્શન સ્કીમ મુજબ વ્યવસ્થા ગોઠવવા માગણી છે.
૧૦. કોરોનાના દવાના બિલો રીએમ્બેસમેન્ટમાં સરકાર મંજુર કરે.
૧૧. જિલ્લા મથકે પેન્શન મંડળોને જિલ્લા કાર્યાલય માટે નિઃશુલ્ક સરકારી મકાન ફાળવો,
૧૨. ૧૭ મી ડીસેમ્બર સરકાર “પેન્શનર ડે” જાહેર કરી સરકારી રાહે આયોજન કરો.
૧૩. નિવૃત્તિ દરમિયાન એક વધારાનું પેન્શન પિલગ્રીમ ટૂર તરીકેઆપવાની માગણી છે.
૧૪. પેન્સનરોના પ્રશ્ન અંગે જીલ્લાવાર દર છ માસે પેંશન અદાલતો યોજી સ્થળ પર પ્રશ્નોના નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા તથા
૧૫. નિવૃત કર્મચારીઓને સિનિયર સીટીજનો માફક બેંક, દવાખાનાઓ, સરકારી કચેરીઓ અને પોતે જે કચેરીઓમાં મુલાકાત સમયે અગ્રતાક્રમ આપો.
૧૬. જેતે કર્મચારીઓ જ્યાંથી નિવૃત થયા હોય તે કચેરીમાં પોતાના મૂંઝવતા પ્રશ્નોના કામે જાય તો તેમના માટે અગ્રતાક્રમ આપી સહાનુભૂતિ પૂર્વક સાંભળી મદદરૂપ થાય તેવી વ્યવસ્થા પૂરી પાડવી
૧૭. નોકરી દરમીયાન કેટલાક કર્મચારીઓ પર કોર્ટ કેશ થયેલ હોય અને નિવૃતિ બાદ ચુકાદો તેમની તરફેણમાં આવ્યો હોય, તો
તેવા કર્મચારીઓને નોકરીના પિરિયડ દરમ્યાનના મળવાપાત્ર પગાર અને અન્ય હક્કોના નાણાં વહેલી તકે ચૂકવાઈ તેવો હુકમ કરો. (કેટલાક દેશમાં કર્મચારી નિર્દોષ થવા છતાં સાત સાત વર્ષ પછી પણ અને તેમની ઉમર ૮૦ વર્ષ થી વધુ થઈ જવા છતાં તેનો યોગ્ય નિકાલ થતો નથી ખાસ કરીને પ્રાથમિક શિક્ષકોમાં)
૧૮. નિવૃતિ કર્મચારી અવસાન પામે ત્યારે તેમની ફેમિલીને ફુટુંબ પેન્શન લેવા માટે નામ, અટક, આધાર કાર્ડ વિગેરેમાં વિસંગતતા આવતી હોય ત્યારે પેંશન મેળવવામાં ઘણી જ મુશ્કેલીઓ પડતી હોય છે તો આવા શોકગ્રસ્ત કુટુંબોની સાચી ઓળખ મેળવીને વહેલી તકે જીવનનિર્વાહ માટે નાણાં મળે તેવી સરળ પ્રક્રિયા બનાવવા રજૂઆત કરાઈ હતી.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

*ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા* ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી સંદીપ માંગરોલા એ તાજેતરમાં બનેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલ કથિત મેડિકલ બેદરકારી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી જે દર્દીઓના મૃત્યુ થયા છે તે બાબતે ડોક્ટર તથા સંચાલકો વિરુદ્ધ સખત શબ્દોમાં આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી જરૂરિયાતમંદ ને યોગ્ય માનવસેવા પૂરી પાડવા સહિતના મુદ્દા પર યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરેલ છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પીએમ જેવા યોજનાની આડઅસર અને ડોક્ટરની બેદરકારી ના કારણે દર્દીઓ પર જરૂરિયાત વિના એનજીઓગ્રાફી અને એનજીઓ પ્લાસ્ટિક જેવા પ્રોસીડયોર કરવામાં આવ્યા હતા. જેના કારણે બે દર્દીઓનું કરુણ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે, આ સમગ્ર મામલે સંદીપ માંગરોલા એ જણાવ્યું છે કે પીએમ જેવાય યોજના અંતર્ગત ડોક્ટર દ્વારા જે કાંઈ પણ નિર્ણય લે તાત્કાલિક અસરથી એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવેલ હોય તેનાથી સરકારના સ્વાસ્થ્ય વિભાગના યોજનાકીય ભંડોળનો પણ ખોટો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે, પીએમજેવાય યોજના અંતર્ગત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને સસ્તી અને સરળતાથી મળી રહે તેવી તબીબી સારવાર આપવામાં આવતી હોય છે, પરંતુ ડોક્ટરો દ્વારા આ યોજના ખોટી રીતે ફાયદો કરવામાં આવતો હોય તેવું લાગતા સમગ્ર રીતે આ ઘટનાને સંદીપ માંગરોલા એ વખોડી કાઢી અને વધુમાં જણાવ્યું છે કે માત્ર દર્દીઓનો વિશ્વાસ ને ડોક્ટરોએ ખંડિત કર્યો છે તેવું નથી આ કૌભાંડમાં સંડોવાયેલ અધિકારીઓ અને હોસ્પિટલના ડોક્ટરો તેમજ સંચાલકો ની પણ સાથ ગાંઠ સરકારના વિભાગ સાથે હોય તેવું કથિત જાણવા મળ્યું હોય સમગ્ર આક્ષેપો ના પરિપ્રેક્ષ્યમાં સંદીપ માંગરોલા એ આરોગ્ય વિભાગમાં આરટીઆઇ અરજી ફાઈલ કરેલ છે. આરટીઆઈ માં સંદીપ માંગરોળ એ જણાવ્યું છે કે તપાસનો સંપૂર્ણ અહેવાલ જેમાં આયોજિત બિનજરૂરી પ્રોસેસ્યોર અંગેના તારણોનો સમાવેશ થાય તેમ જ તબીબી રેકોર્ડ્સ અને દસ્તાવેજોની પ્રમાણિત નકલ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે કરવામાં આવેલ પગલાંઓની વિગત જેમાં કાનૂની કાર્યવાહીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સરકારની પીએમજેવાય માર્ગદર્શિકા ના પાલન માટેની ચકાસણી સહિતના મુદ્દા ઉપર સંદીપભાઈ માંગરોલાએ આરટીઆઇ કરી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે આપણા નાગરિકોના આરોગ્ય અને સલામતીની ઉપેક્ષા કરી શકાય તેમ નથી સરકારની પીએમજેવાય યોજના એવી અપેક્ષા સાથે બનાવવામાં આવી હતી કે જરૂરિયાતમંદ દર્દીઓ આ યોજના દ્વારા યોગ્ય સારવાર મેળવી શકે પરંતુ સમગ્ર મામલે ડોક્ટરો પોતાના અંગત લાભ માટે આ યોજનાનો ઉપયોગ કરતા હોય તેવું જાણવા મળ્યું છે આથી આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત સંકળાયેલા લોકોની તાત્કાલિક અસરથી તપાસ કરી તારણ જાહેર કરે અને જવાબદાર સરકારના અધિકારીઓ અને હોસ્પિટલના સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

ProudOfGujarat

ગોધરા એલ.સી.બી એ જીવ સટોસટની કાર્તેજ કરી જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.

ProudOfGujarat

દહેજની માંગ સાથે પરિણીતાને માર મારી ગરમ તેલ છાંટી દઝાડ્યાનો આક્ષેપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!