Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના વરેડિયા નજીક આવેલા ભુખી ખાડીના પુલનાં સમારકામના પગલે બીજા દિવસે પણ ટ્રાફિક જામ યથાવત…

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા ભરૂચના વરેડિયા નજીક આવેલા ભુખી ખાડીના પુલનું સમારકામ હાથ ધરવામાં આવતા એક વડોદરા તરફ જતો માર્ગ ચાર દિવસ માટે NHAI દ્વારા બંધ કરવામાં આવતા બીજા દિવસે પણ ટ્રાફિક જામ યથાવત રહ્યો હતો.

મીડિયા ટીમ દ્વારા હાઈવેની મુલાકાત લેતા વરેડિયાથી નબીપુર સુધી અને તેનાથી પણ આગળ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. તો બીજી તરફ પાલેજથી બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. સમારકામના પગલે માર્ગ એક તરફનો બંધ કરાતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા હતા અને તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી: PMએ આપી શ્રદ્ધાંજલિ; રાજઘાટ પહોંચ્યા સોનિયા-રાહુલ

ProudOfGujarat

ભરૂચના વાગરા તાલુકામાં થયેલ મર્ડરનો ગણતરીના દિવસોમાં પોલીસે ભેદ ઉકેલ્યો.

ProudOfGujarat

ધો.12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર, સૌથી વધુ મોરબીના હળવદનું 90.41 ટકા પરિણામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!