Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના ભોલાવ વિસ્તારમાં એક સાથે ૧૨ જેટલા મૂંગા પશુઓના મોત થતા સ્થાનિકોમાં ફફડાટ.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જૂની મસ્જિદ તળાવ ફળિયા પાસે એક સાથે ૧૨ થી વધુ મુંગા પશુઓના મોત થતા સ્થાનિકોમાં ભારે ખળભળાટ મચ્યો હતો.

ભોલાવ રેલવે દ્વારા ક્રોસિંગ નજીક સાફ સફાઈ દરમિયાન કોઈક દવાનું છંટકાવ કરવાથી પશુઓનું મોત થયા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા, જોકે એક સાથે આટલા બધા મૂંગા પશુઓના મોત અંગેનું ચોક્કસ કારણ સામે આવ્યુ નથી, મૃતક પશુઓમાં ૬ બકરીઓ ૨ ગાય અને ૭ થી વધુ ડુક્કરનો સમાવેશ થાય છે.

Advertisement

પશુઓના મોત બાદ સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે સ્થાનિક ગ્રામપંચાયત સહિતના તંત્રને ઘટના અંગેની જાણકારી આપી છે, ત્યારે તંત્રની તપાસ બાદ જ આખરે પશુઓના મોતના સમગ્ર મામલે ચોક્કસ કારણ સામે આવી શકે તેમ છે.


Share

Related posts

અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ નવા તરીયા બસ સ્ટેન્ડ નજીક પીકઅપ ચાલકે બાઇકને ટક્કર મારતા એક યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોટ નીપજ્યું હતું…

ProudOfGujarat

જીએનએફસીના નીમ પ્રોજેક્‍ટ પ્‍લાન્‍ટની ભારત સરકારના મંત્રીશ્રી સંતોષકુમાર ગંગવાર અને રાજ્‍યના મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે લીધેલી મુલાકાત

ProudOfGujarat

દ્વારકા દર્શન કરી સુરત પરત જતાં પરિવારની કાર ઉભેલાં કન્ટેઈનરમાં ભટકાતાં માતા-પુત્રનું મોત , ૬ ગંભીર : દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કેલોદ ગામ પાસે અકસ્માત સર્જાયો, તાલુકા પોલીસે ગુનો નોંધ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!