Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના સિંગણપુરનું માર્કેટ સીલ કરતા પાથરણાવાળાઓની આત્મવિલોપનની ચીમકી.

Share

સુરતના સિંગણપુર ચાર રસ્તા નજીક ખાનગી માલિકીમાં નાના પાયા પર વેપાર કરતા ૧૫૦ જેટલા પાથરણાવાળાઓનું એસ એમ સી એ માર્કેટ સીલ કરતા નાના વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા.

સુરતના સિંગણપોર ચાર રસ્તા નજીક ૧૫૦ થી વધુ પાથરણાવાળાઓનું માર્કેટ આવેલું છે જેમાં લોકલ ફોર વોકલ આત્મનિર્ભર ભારત અંતર્ગત ૧૫૦ થી વધુ પરિવારોએ લોન લઈ પાથરણા પાથરી વેપાર ધંધો કરે છે. આ ખાનગી માલિકીની જગ્યામાં એસ.એમ.સી દ્વારા માર્કેટ સીલ કરાતા અનેક પરિવારો રોજગાર વિહોણા બનતા સુરત મહાનગરપાલિકાને નાના એકમો પર કામ કરતા પરિવારોએ બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે જો આ બે દિવસમાં માર્કેટને ખુલ્લી મુકવામાં નહીં આવે તો સામૂહિક આત્મવિલોપનની પણ પાથરણાવાળાઓ દ્વારા ચીમકી આપવામાં આવી છે. સુરતના આ વિસ્તારમાં ઘણાં લાંબા સમયથી આ પ્રકારની માર્કેટ ભરાય છે. પાથરણાવાળાઓના જણાવ્યા અનુસાર અહીંના સ્થાનિક કોર્પોરેટર ચીમન પટેલના ઈશારે આજે માર્કેટ સીલ કરવામાં આવ્યું છે, પરંતુ અમો નાના પાયા પર કામ કરતાં લોકોએ કોરોના કાળ બાદ લોન લઈ રૂપિયા ખર્ચી અહીં વેપાર ધંધો કરીએ છીએ જેમાં કોઈ ખાસ નફો પ્રાપ્ત નથી થતો અમારું રોજબરોજનું ગુજરાત જાય છે આથી જો આગામી સમયમાં એસ એમ સી દ્વારા આ માર્કેટ શરૂ કરવામાં નહીં આવે તો સામૂહિક આત્મવિલોપન કરીશું તેવું જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

રાજપીપળાનાં દરબાર રોડ અને દોલત બજારનાં ભાડવાળાનાં ગોપચણ ફળિયું પર એક મહિનાથી પાણીની બુમ બાદ પણ કોઈ જોવા પણ આવતું નથી..?!

ProudOfGujarat

ગુજરાત રાજ્ય મારો રાવળદેવ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તારીખ 13-5-૨૦૧૯ના રોજ પ્રથમ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવશે.

ProudOfGujarat

માંગરોળ : લવેટ ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ પદ માટે ટેકેદારો સાથે મનોજભાઈએ ઉમેદવારી નોંધાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!