Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વરના પાનોલી ખાતે આવેલ ઓમ ડાયકેમ કંપનીમાં ગેસ ગળતર લાગતા બે કામદારોના મોત

Share

અંકલેશ્વર ના પાનોલી જીઆઈડીસી માં આવેલ પ્લોટ નંબર 517 માં આવેલ ઓમ ડાયકેમ કંપનીના બે કામદારોને  ગેસ ની અસર થતા બન્ને ના મોત થયા છે. જયારે તેમને બચાવવા માટે આવેલ ફાયરના સ્ટાફમાંથી પણ એક કામદાર ગેસ લાગવાના કારણે દાઝી જતા તેને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના પાનોલી ખાતે આવેલ ઓમ ડાયકેમ કંપની ના બે જેટલા કામદારો પ્લાન્ટ માં આવેલ રીએક્ટરની ટાંકી સાફ કરતી વેળાએ કેમિકલ પ્રોસેસ થતા દુર્ઘટના સર્જાઈ હતી. રીએક્ટરની ટાંકીમાં ઉતરેલા બે કામદારો સહિત ૧ ફાયર બ્રિગેડનો કર્મચારી પણ ગંભીર રીતે દાઝી ગયેલ હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અંકલેશ્વરની જયાબેન મોડી હોસ્પિટલમાં ખસેડવામ આવ્યા હતા. જ્યા બે કામદારોને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. જયારે ફાયર કર્મી ને સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો ……

Share

Related posts

અંકલેશ્વર ના ખરોડ ગામે બેરોજગાર યુવાનો ને જીવન નિર્વાહ માટે ઓટો રિક્ષા નું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં હાલોલ શહેરમાં વસતા કિન્નરોને વિશેષ ઓળખ દર્શાવતા ઓળખપત્ર અપાયા.

ProudOfGujarat

ડેડીયાપાડાની બારોટ વિદ્યાલયમાં વર્ગખંડોમાં પાણી ભરાતા શિક્ષણકાર્ય અટક્યુ.

ProudOfGujarat
error: Content is protected !!