Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : અંબે વિદ્યાલય ખાતે ૧૫ થી ૧૮ વર્ષ વય જૂથનાં બાળકોનું રસીકરણ કરાયું.

Share

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદયની પુત્રી હેલીને તેની શાળા અંબે વિદ્યાલય,માંજલપુર ખાતે રસી મૂકવામાં આવી હતી.આ અંગે તેમણે જણાવ્યું કે તરુણ રસીકરણ સલામત છે, કોરોના સામે રક્ષણમાં ઉપયોગી છે એટલે જેમના સંતાનો ૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના હોય એવા વાલીઓ તેમના સંતાનોને અચૂક રસી મુકાવી લે.

વિવિધ શાળા કેન્દ્રો ખાતે રસી લેવા આવેલા તરુણોમાં ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો. નીર, અપર્ણા, મયુશા અને હિમેશે એક સંવાદમાં જણાવ્યું કે રસી આપવામાં આવી ન હોવાથી અમારા વાલીઓ અમને શાળામાં મોકલતા ડરતા હતા. અમે વર્ગો ભરતાં પણ અમને ઉચાટ રહેતો હવે રસી લેવાને પગલે વાલીઓ અમને અચકાટ વગર શાળાએ મોકલશે અને અમે પણ કોરોનાના ડર વગર ભણી શકીશું. રસી લેવાથી કોઈ વિપરીત અસર અમને જણાઈ નથી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેરમાં રાત્રિ દરમ્યાન તસ્કરો દ્વારા ત્રણ જેટલા મકાનોને નિશાન બનાવી ૩૬ હજાર ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

ProudOfGujarat

ચૂંટણી પહેલા જ વાલિયા તાલુકામાં દારૂની રેલમ છેલ, આખરે ગ્રામ જનોએ એક ટ્રક ઝડપી પાડી પોલીસ ને સોંપી

ProudOfGujarat

રોટરી ક્લબ ગણદેવી દ્વારા ગડત ખાતે મેડીકલ કેમ્પ તથા નેત્રયજ્ઞ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!