Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ : મુંબઈ-દિલ્હી ફ્લાઈટ હાઈજેક મામલે બિરજુ સલ્લાને મોટી રાહત, HC એ NIA કોર્ટનો ચુકાદો રદ કર્યો, બિરજુ નિર્દોષ જાહેર

Share

ગુજરાત હાઈકોર્ટે મંગળવારે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. મુંબઈના બિઝનેસમેન બિરજુ સલ્લાને એરક્રાફ્ટ હાઈજેક કરવાના આરોપમાંથી મુક્ત કર્યા છે. સલ્લાને અગાઉ 2017 માં મુંબઈ-દિલ્હી ફ્લાઈટને હાઈજેક કરવાની ધમકી આપતો પત્ર રાખવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. હાઈકોર્ટે સલ્લાને મોટી રાહત આપી છે.

મીડિયા અહેવાલ મુજબ, હાઇકોર્ટની એક ડિવિઝન બેન્ચે સ્પેશિયલ NIA કોર્ટના 2019 ના ચુકાદાને રદ કર્યો, જેમાં સલ્લાને આજીવન કેદની સજા ફટકારવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો કે, તેની જપ્ત કરેલી મિલકતો મુક્ત કરવામાં આવે અને ટ્રાયલ કોર્ટ દ્વારા તેના પર લાદવામાં આવેલ દંડ પરત કરવામાં આવે.

Advertisement

ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું છે કે, આરોપી બિરજુ સલ્લાને “શંકાસ્પદ પુરાવાના આધારે” એરક્રાફ્ટ હાઈજેક કરવાના ગુના માટે દોષિત ઠેરવી શકાય નહીં. ગુજરાત હાઈકોર્ટે મંગળવારે મુંબઈના બિઝનેસમેન બિરજુ સલ્લાને એરક્રાફ્ટ હાઈજેક કરવાના આરોપમાંથી મુક્ત કર્યા છે. સલ્લાને અગાઉ 2017માં મુંબઈ-દિલ્હી ફ્લાઈટને હાઈજેક કરવાની ધમકી આપતો પત્ર રાખવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. શંકા બહારના પુરાવાના આધારે અપહરણના ગુના માટે દોષિત ઠેરવી શકાય નહીં.


Share

Related posts

ગુજરાતમાં કઈ-કઈ જ્ઞાતિઓને મળશે 10 ટકા અનામતનો લાભ? આ રહ્યું જ્ઞાતિઓનું લિસ્ટ

ProudOfGujarat

નેત્રંગના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે જિલ્લા કક્ષાનો કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયુ.

ProudOfGujarat

ટ્રાફિક પોલીસએ ખોવાયેલ ફોન તેના માલિકને પરત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!