Proud of Gujarat
INDIAFeaturedGujarat

નેત્રંગના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે જિલ્લા કક્ષાનો કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયુ.

Share

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં આઝાદી કા અમૃત મહોત્સવ, ખેડૂત ભાગીદારી પ્રાથમિકતા અમારી અભિયાન હેઠળ ભરૂચ જિલ્લા કક્ષાનો કૃષિ મેળો યોજાયો.

આ કાર્યક્રમમાં કેવીકેના વડા મહેન્દ્રભાઇ પટેલ દ્વારા સર્વે મહેમાનોને આવકાર્યા અને કાર્યક્રમ વિશે માહિતગાર કર્યા હતા. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સૂક્ષ્મ પોષક તત્વો ધરાવતી જાતો વિશે માહીતી ખેડૂત મિત્રોને આપી, તેમજ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો દ્વારા માગૅદશૅન આપ્યું હતુ . આ કૃષિ મેળામાં કૃષિ એને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરનું ખેડૂતો સાથનો સંવાદનું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યુ હતું. આ કૃષિ મેળામા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન માનસિંગભાઇ વસાવા, વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુંભાઇ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખ વંદનભાઇ વસાવા, વર્ષા બેન દેશમુખ, જિલ્લા પંચાયત સદસ્ય, સરલાબેન, કારોબારી જીલ્લા સભ્ય જિલ્લા ભાજપા, ડૉ. લાલજીભાઇ પ્રજાપતિ, આસિસ્ટન્ટ ડાયરેકટર (આઇ.સી.ડી.પી), ગાંધીનગર, ડૉ. રમીઝ મન્સૂરી, મદદનીશ સંશોધન વૈજ્ઞાનીક, માંગરોળ, પ્રફુલભાઇ પટેલ, મદદનીશ ખેતી નિયામક, ભરૂચ, રાકેશ કુમાર, ડી.પી.ડી, આત્મા, વિસ્તરણ ખેતી અધિકારી,નેત્રંગ યોગેશ ભાઇ પવાર, બ્રિજેશ ભાઇ પટેલ, ભરૂચ જીલ્લા પ્રમુખ નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇ. ટી. સેલ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતમિત્રો ઉપસ્થીત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : નર્મદા નદીએ ૨૪ ફૂટની ભયજનક સપાટી વટાવી, નદીના જળ સ્તરમાં સતત વધારો, કાંઠા વિસ્તારમાંથી ૨૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર.

ProudOfGujarat

અમદાવાદ-નારાણપુરામા પોલીસની કિશોર કોલોનીમાં ચાલતા કુટણખાના પર રેડ..૩ ની ધરપકડ…

ProudOfGujarat

तेरापंथ महिला मंडल -अंकलेश्वर भरूच । निर्माण- एक नन्हा कदम स्वच्छता की और-

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!