Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં ખાનગી બસમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

Share

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં ઉભેલી ખાનગી બસમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદભાગ્યે બસમાં કોઇ મુસાફર ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ખાનગી બસમાં લાગેલી આગના પગલે ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ખાનગી લક્ઝરી બસમાં લાગેલી ભીષણ આગના પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. સદનસીબે બસમાં મુસાફરો ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. બસમાં આ આગ કેવી રીતે લાગી કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં ઉત્તરપ્રદેશથી હથિયારો લાવી સૌરાષ્ટ્રમાં વેચવા જતાં બે ઈસમોને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા

ProudOfGujarat

કરજણ તાલુકાના સાંસરોદ ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 48 કેસ આજે એક જ દિવસમાં નોંધાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!