Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વરના રામકુંડ ખાતે રામનવમી ની શ્રધ્ધાભેર ઉજવણી

Share

મહિલા મંડળોએ ભજન ની રમઝટ બોલાવી
= મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું
25.3 અંકલેશ્વર
અંકલેશ્વર ના પ્રસિધ્ધ તીર્થધામ રામકુંડ ખાતે રામનવમી નિમિતે વિવિધ ધાર્મીક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા
  આજે રામનવમી નિમિતે અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે રામનવમી નિમિતે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા ,રામકુંડ ના મહંત ગંગાદાસ બાપુ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી જ મોટી સંખ્યા માં ભક્તો ઉમટી પડ્યા હતા મહિલા મંડળ દ્વારા સવારથીજ ભજન કીર્તન ની રમઝટ બોલાવી હતી બપોર ના 12 ના ટકોરે ભગવાન રામ ના જન્મ સમયે મહંત ગંગાદાસ બાપુ દ્વારા ભગવાન રામ ને પારણે ઝુલાવ્યા હતા ,બાદ મોટી સંખ્યા માં દર્શનાર્થે ઉમટી પડેલા શ્રદ્ધાળુ ઓ એ પ્રભુ શ્રી રામ ના દર્શન કરી પારણે ઝુલાવવાનો લાવ્હો લીધો હતો બપોર બાદ મહાપ્રસાદી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું

Share

Related posts

ચોરાઉ મોટરસાયકલ સાથે એક ને ઝડપી પડતી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ

ProudOfGujarat

છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ એ મોરબી જિલ્લાના ચરાવડા ગામેથી પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

કોરોના મહામારીનાં પગલે ભરૂચ જીલ્લામાં આર્યુર્વેદિક દવાઓની વધેલ માંગણીને કારણે કેટલીક દવાઓની બજારમાં તંગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!