Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરમાં “ભૂખ્યા ને ભોજન” દ્વારા છાશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો…

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વરમાં દિન-પ્રતિદિન ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જ્યારે અંકલેશ્વરમાં જાગૃત યુવાનો તથા જાગૃત આગેવાનો દ્વારા પાણી વિતરણ તથા છાશ વિતરણના આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેમાં આજરોજ અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તાર પાસે આવેલ ભૂખ્યા ને ભોજનના સ્ટોલમાં છાસ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં પત્રકારો અને પોલીસ અધિકારીઓ પણ છાશ વિતરણના કાર્યક્રમમાં જોડાયા હતા અને ખુબ મોટી સંખ્યામાં લોકોએ છાશ પીને ગરમીમાં ઠંડકનો અહેસાસ મેળવ્યો હતો. અંકલેશ્વરમાં એક જ એવી સંસ્થા ભૂખ્યા ને ભોજન માં ચાલી રહી છે જેમાં વિનામૂલ્ય રોજ 200 થી પણ વધુ લોકો ભોજન લઇ રહ્યા છે અને વારંવાર આવા પ્રોગ્રામ યોજી રહ્યા છે.

Advertisement


Share

Related posts

કરજણ : ઉમજ રોડ ઉપર ખાંધા ગામની કેનાલ પાસે બાઈક સવારનું ઝાડ સાથે ભટકાતા મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

અંકલેશ્વર-ઝઘડિયા-રાજપીપળા રોડ પર આવેલ બ્રિજ જર્જરીત હાલતમાં હોવાથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી એસ.ટી. ડેપોમાં ગંદકીના સામ્રાજ્યથી મુસાફરો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!