Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર તાલુકાના જૂના પુનગામમાં બે કોમના જૂથ વચ્ચે અથડામણ સર્જાતા ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના જૂના પુનગામના નવા ફળિયામાં રહેતા અભેસિંહ બેચરસિંહ ડોડીયાનો ભત્રીજો તખતસિંહ પ્રભાતસિંહ ડોડીયા તેઓના ચાકર સાથે ગતરોજ રાતે પાદરમાં આવેલ કરીયાણાની દુકાને સમાન લેવા ગયા હતા તે દરમિયાન નજીવા મુદ્દે ગામના જ જયકિતસિંહ દેવેન્દ્રસિંહ ચૌહાણ,કિસનસિંહ દિનેશસિંહ ચૌહાણે ભત્રીજા અને ચાકરને માર મારતા હોય તેઓને છોડાવવા વચ્ચે પડેલ અભેસિંહ બેચરસિંહ ડોડીયાને ધક્કો મારી પાડી દીધા હતા જે બાદ તેઓ પોતાના ઘરે આવી ગયા હતા જે બાદ આ ઝઘડાની રીસ રાખી ફરી કિસનસિંહ ચૌહાણ,જયકિતસિંહ ચૌહાણ અને વિરલસિંહ ઉપેન્દ્રસિંહ ચૌહાણ,વિજયાબેન ઉપેન્દ્રસિંહ ચૌહાણ તેમજ ઉપેન્દ્રસિંહ મોહનસિંહ ચૌહાણ ઘરે ઘસી આવ્યા હતા અને તેઓને અપશબ્દો બોલી રહ્યા હતા જેઓએ નાં કહેતા આવેશમાં આવી ગયેલા મહિલા સહીત ચાર ઇસમોએ લાકડીના સપાટા સાથે અભેસિંહ બેચરસિંહ ડોડીયા પર તૂટી પડ્યા હતા આ ઝપાઝપીમાં તેઓને આંખના ભાગે ઈજાઓ પહોંચી હતી જયારે તેઓના પુત્ર વિરેન્દ્રસિંહ ડોડીયા અને પુત્ર વધુ સહીત ચાર લોકોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મારામારીના બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ : નેત્રંગ ખાતે ચાસવડ ડેરીની ૫૯ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

ProudOfGujarat

વાંકલ : માન.મંત્રી ગણપતસિંહ વસાવાએ માંગરોળ અને ઉમરપાડા તાલુકાની પ્રજા માટે સામુહિક આરોગ્ય હેતુ ઓકિસજનનાં પ્લાન્ટ માટે રૂા.૧.૨૩ કરોડ ફાળવ્યા.

ProudOfGujarat

ભરૂચનાં આમોદમાં સસ્તા અનાજની દુકાનો પર રેશન કાર્ડ ધારકોને વ્યવસ્થિત જવાબ ન મળતા રેશન કાર્ડ ધારકોએ હોબાળો મચાવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!