Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના કાસિયા ગામ નજીક આવેલ જી.ઈ.બી.બસ સ્ટેશન પાસે મોટર સાયકલ ડાઈવર્ઝનના આડેસમાં ભટકાતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

Share

વિનોદભાઈ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના નવા કાસિયા વેરાઈમાતા મંદિર ફળિયામાં રહેતા ૪૫ વર્ષીય રાજેશભાઈ રમણભાઈ પાટણવાડિયા પોતાની મોટર સાયકલ નંબર-જી.જે.૧૬.એએસ.૮૭૦૪ લઈ અંદાડા ગામ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન કાસિયા ગામના જી.ઈ.બી.બસ સ્ટેશન પાસે પુરપાટ ઝડપે પસાર થઇ રહ્યો હતો તે વેળા ડાઈવર્ઝનના આડેસમાં બાઈક ભટકાતા અકસ્માત સર્જાયો હતો સદર અકસ્માતમાં તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંક ૨૦૦ થી વધુ, 5 નાં મોત.

ProudOfGujarat

રાજપીપળા હરસિદ્ધિ માતાનાં મંદિરે કોરોના મહામારીનાં કારણે નવરાત્રીનો મેળો અને ગરબા બંઘ રાખવામાં આવ્યા.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામમાં મકાનોમાં આગ ભભૂકી ઊઠતા ઘરવખરી બળીને ખાખ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!