Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના કાસિયા ગામ નજીક આવેલ જી.ઈ.બી.બસ સ્ટેશન પાસે મોટર સાયકલ ડાઈવર્ઝનના આડેસમાં ભટકાતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

Share

વિનોદભાઈ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના નવા કાસિયા વેરાઈમાતા મંદિર ફળિયામાં રહેતા ૪૫ વર્ષીય રાજેશભાઈ રમણભાઈ પાટણવાડિયા પોતાની મોટર સાયકલ નંબર-જી.જે.૧૬.એએસ.૮૭૦૪ લઈ અંદાડા ગામ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન કાસિયા ગામના જી.ઈ.બી.બસ સ્ટેશન પાસે પુરપાટ ઝડપે પસાર થઇ રહ્યો હતો તે વેળા ડાઈવર્ઝનના આડેસમાં બાઈક ભટકાતા અકસ્માત સર્જાયો હતો સદર અકસ્માતમાં તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : વોર્ડ નંબર ૭ માં આવેલ સ્ટાર એવન્યુ સોસાયટીના સ્થાનિકો ઉભરાતી ગટરોને લઈને પરેશાન…

ProudOfGujarat

છીંકતી વખતે આંખો કેમ બંધ થાય છે? તમારા શરીર સાથે જોડાયેલા આ અનોખા રહસ્ય તમે નહીં જાણતા હોય.

ProudOfGujarat

વ્યાજખોરોએ નાયબ મામલતદારના પતિનું અપહરણ કર્યુઃ 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!