Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર સિદ્ધ ટેકરી રામકુંડ સ્થિત શ્રી ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે સૌ પ્રથમ વખત ગણેશ પુરાણનું આયોજન કરાયું…

Share

વિનોદભાઇ પટેલ

23 મી મે થી 29 મી મે દરમિયાન રામકુંડ સ્થિત શ્રી ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે અંકલેશ્વરમાં સૌ પ્રથમ વખત ગણેશ પુરાણનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ સવારે જોષીયા ફળીયા ખાતે થી આજ થી પ્રારંભ થતા કથાના સપ્તાહની પોથી યાત્રા યોજવામાં આવી હતી. ધામધૂમ પૂર્વક નીક્ળરેલ પોથી યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે પહોંચી હતી. જ્યા વ્યાસ પીઠ પર થી વલસાડના ગણેશજીની કથાકાર રાકેશભાઈ જોષી દ્વારા બપોરે 2 કલાકે સંગીતમય શૈલીમાં કથાનો પ્રારંભ કરાવ્યો હતો. શ્રી ક્ષિપ્રા ગણેશજી મંદિર ટ્રસ્ટ આયોજિત કથામાં નો આસ્વાદ માળવા માટે મંચ પર જાહેર આમંત્રણ પાઠવામાં આવ્યું હતું. તો પ્રથમ દિવસે ભગવાન ગણેશજી ના અવતરણની કથાનો પ્રારંભ કરતા વિવિધ મર્મ સમજાવતા વ્યાસપીઠ પર થી રાકેશભાઈ જોષીએ ભક્તોને અંતસુધી જકડી રાખી ભક્તિના રસમાં તરબોર કર્યા હતા.

Advertisement


Share

Related posts

નાયક’ ફિલ્મને 24 વર્ષ પૂર્ણ થયા: અનિલ કપૂરે તેમની સૌથી પ્રભાવશાળી ભૂમિકા યાદ કરી

ProudOfGujarat

શું તમે જાણો છો કે તમન્ના ભાટિયાએ તેના જન્મદિવસ પર ‘આજ કી રાત’ ગીત શૂટ કર્યું હતું?

ProudOfGujarat

ભરૂચનાં વાલીઓ દ્વારા શાળાની ફી અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!