Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- હિન્દુઓની આસ્થા થી જોડાયેલું રામકુંડ સુકાઈને કોરુકટ બન્યું.

Share

વિનોદભાઈ પટેલ

અંકલેશ્વરનું એકમાત્ર એવું મંદિર જ્યાં કહેવાય છે કે મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ દ્વારા તીર મારીને રામકુંડ માંથી પાણીનો પ્રવાહ પેદા કર્યો હતો.બારેમાસ પાણીથી છલોછલ રહેતા અંકલેશ્વરની ઐતિહાસિક ધરોહર રામકુંડની આ પરિસ્થિતિ!!

Advertisement

અંકલેશ્વર નગરપાલિકાએ ઠરાવ કરી રામકુંડના રીનોવેશન માટે અંદાજીત 32 લાખ મંજુર કર્યા હતા. જેમાંથી અંદાજીત 10 લાખનો ખર્ચ કર્યો.રામકુંડની આ પરિસ્થિતિ જોતા ખર્ચ કરાયો છે કે કેમ ? તે શંકા ઉપજાવનાર છે, ત્યારે હવે તંત્ર ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે અને અંકલેશ્વર હિન્દુ સમાજના લોકોની આસ્થા પણ રામકુંડના પાણીની જેમ-જેમ સુકાતી ચાલી હોય તેવું લાગી રહ્યું છે.વહેલા તકે આ રામકુંડમા ફરી એકવાર પાણી છલકાય તેવી લોકો માગણી કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું અંકલેશ્વર નગરપાલિકા આ મુદ્દે શું પગલાં ભરે છે.


Share

Related posts

લીંબડી ખાતે રાણી તળાવની સફાઈ કામગીરી હાથ ધરાઇ

ProudOfGujarat

અંકલેશ્વરની BEIL કંપનીમાં ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પકડાયેલા 4,277 કિલોગ્રામ ડ્રગ્સનો નાશ કરાયો

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કોરોનાનાં વધુ 13 પોઝિટીવ દર્દી જણાયા કુલ આંકડો 346 નો થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!