Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વરનાં અશોક પંજવણીને શિક્ષણક્ષેત્રે પ્રવૃત્તિ બદલ ઈન્ડીયન ગ્લોરી અવોર્ડ…

Share

અંક્લેશ્વરનાં અગ્રણી ઉધ્યોગપતિ અશોક પંજવણીને શિક્ષણક્ષેત્રે મહત્વની કામગીરી માટે ઈન્ડીયન ગ્લોરી અવોર્ડ-૨૦૧૮ એનાયત કરાયો છે.

અશોક પંજવણી અગ્રણી ઉધ્યોગપતિ હોવાની સાથે સાથે સેવાકીય ક્ષેત્રે પણ સક્રિય ભુમીકા ભજવે છે. શિક્ષણક્ષેત્રે પણ તેઓએ શ્રોફ એસ.આર. રોટરી ઈન્સ્ટીટ્યુટ ઓફ કેમીકલ ટેક્નોલોજીની સ્થાપનામાં મહત્વની ભુમિકા ભજવી છે અને તેમનાં સતત પ્રયત્નોનાં કારણે જ આજે આ સંસ્થા દેશની ટોચની ઈન્સ્ટીટ્યુટમાં સ્થાન પામી છે. તેમની આ શિક્ષણક્ષેત્રની મહત્વની કામગીરીને ધ્યાનમાં લઈને ફાઉન્ડેશન ફોર એક્સેલરેટેડ માસ એમ્પાવરમેન્ટ FAME સંસ્થા દ્વારા એક્સેલન્સ માટે ઈન્ડીયન ગ્લોરી અવોર્ડ-૨૦૧૮ થી તેમને નવાજવામાં આવ્યાં છે. તેઓને આ પ્રતિષ્ઠિત અવોર્ડ મળતાં ઉધ્યોગજગતને અભિનંદન પાઠવી ખુશી વ્યક્ત કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા દ્વારા પાણી વિતરણ બંધ રહેશે.જાણો ક્યારે અને કેમ?

ProudOfGujarat

માંગરોળ : નાની નરોલી ભારતીય વિદ્યાભવન G.I.P.C.L એકેડમીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ.

ProudOfGujarat

31મી ઓક્ટોબરે સુરેન્દ્રનગરમાં યોજાનાર ખેડૂત મહાપંચાયત અંગેની માહિતી આપવા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!