Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના જુના દીવા ગામે વીજળીનો થાંભલો કામદાર ઉપર પડતા તેનું મોત નિપજયું હતું. બનાવને પગલે અંકલેશ્વર શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

:-પ્રાપ્ત પોલીસ સુત્રિય માહિતી મુજબ મુળ નેત્રંગ તાલુકાના ખાબજી ગામના રહેવાસી વિજય મોતીભાઈ વસાવા ઉ.વ. 32નાઓ અંકલેશ્વર જઈબીમાં વીજકર્મી તરીકે ફરજ બજાવે છે. અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામ પાસે ભાથીજી મંદિર નજીક વીજ કંપનીનાં કર્મચારીઓ લાઈટનો થાંભલો ઉભો કરી રહ્યા હતાં. તે વેળા થાંભલો સીધો વિજય મોતી વસવા પડયો હતો.
વિજયભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જયાં હાજર તબીબે તેનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું હોવાનું જણાવ્યું હતું. આ બનાવના પગલે અંકલેશ્વર જીઈબીમાં કામ કરતા કર્મચારીઓમાં શોકનુ મોજુ ફરી વળ્યું હતું. બનાવની જાણ અંકલેશ્વર શહેર પોલીસને થતા પોલીસ સ્ટેશનના એએસઆઈ ધીરજભાઈએ આગળની તપાસ હાથ ધરી છે.
 

Share

Related posts

લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા રાહતદરે મીઠાઇ ફરસાણનુ વેચાણ શરૂ કરાયુ

ProudOfGujarat

રાજ્ય સરકારનો મોટો નિર્ણય : 110 મામલતદારોની બદલીનો આપ્યો આદેશ.

ProudOfGujarat

વાંકલમાં આરોગ્ય વિભાગની ત્વરિત કામગીરી: 205 પૂર અસરગ્રસ્તોની આરોગ્ય તપાસ, દવા અને ક્લોરિન ગોળીઓનું વિતરણ : 47 ઘરોની ઘરે-ઘરે મુલાકાત; સગર્ભા મહિલાઓનું આરોગ્ય ચકાસણી અભિયાન હાથ ધરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!