Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માં વરસાદી કાશો માં વગર વરસાદે વહેતા પ્રદૂષિત પાણી જે આસ પાસ ની ખાડીઓ ને પ્રદૂષિત કરી રહી છે

Share

અંકલેશ્વર
તારીખ. 01.08.2018

Advertisement

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માંથી કેટલાક બેજવાબદાર અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો દ્વારા તેમની કમ્પનીઓ નું પ્રદૂષિત પાણી વરસાદી ગટરો માં છોડી દેવાના કારણે વસાહત ની ગટરો પ્રદૂષિત બની છે અને આ પ્રદૂષિત પાણી કુદરતી વરસાદી કાશો અને નર્મદા નદી ને પ્રદૂષિત કરી પર્યાવરણ ને ગમ્ભીર નુકસાન કરી રહ્યા છે.
વારંવાર ની આ બાબત ની ફરિયાદ તંત્ર ને કરાઈ છે. આજે પણ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા અંકલેશ્વર ખાતેની જીપીસીબી ની કચેરી માં ફરિયાદ કરવામાં આવી અને ફોટા અને વીડિયો અને ક્યાંથી છોડવા માં આવે છે તે સ્થળ ના ફોટા અને માહિતી પણ આપી છે. અને માંગ કરવામાં આવી છે કે આવા ગુનેહગરો સામે કાયદાકીય પગલાં ભરવા માં આવે.

છેલ્લા કેટલાક દિવસો થી વરસાદ નથી તેમ છતાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ની આસ પાસ ની આમલખાડી .છાપરા ખાડી અને અમરાવતી ખાડી માં વિવિધ રંગો ના કલર વાળું પ્રદૂષિત પાણી વહી રહ્યું છે. તંત્ર આ બાબત ના નિષ્ફળ ગયું હોય અથવા લાચાર બન્યું હોય એમ લાગી રહ્યું છે. અથવા આ પ્રદુષણ ને સ્વીકારી લીધું હોય એમ લાગે છે.

જો વારંવાર ની ફરિયાદો પછી પણ આનો નિરાકરણ ના આવશે તો કોર્ટકાયવાહી ની ફરજ પડશે.

*સલીમ પટેલ*
*પ્રકૃતિ સુરક્ષા મંડળ*


Share

Related posts

બાઈક ચોરો જેલ ભેગા – ભરૂચમાં ચોરીની મોપેડ સાથે બે ઈસમોની ધરપકડ કરતી એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

રાજપીપળાના 9 યુવાનો સાથે કેનેડા લઈ જવાના બહાને 48 લાખની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો.

ProudOfGujarat

ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનાં વિરોધમાં ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!