Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજયમાં સરકાર સર્જિત જળસંકટ હોવાનુ એહમદ પટેલનુ ટિવટ.

Share

પવિત્ર અધિક માસમાં શ્રધાળુ ઓને સ્નાનથી વંચિત રાખ્યા

સરકાર નર્મદા નદીમા પાણી નો પૂરવઢો પૂરવાર કરે એવી માંગ

Advertisement

રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ ભરૂચ પાવન સીલા માં નર્મદા માં સર્જાયેલા જળસંકટ ને માનવ સર્જન ગણાવી સરકાર પર પ્રહાર કર્યો છે

અહેમદ પટેલે કરેલા ટિવટમાં જણાવ્યુ છે કે પવિત્ર એવા અધિક માંસમા નર્મદા સ્નાનનું અનેરું ધાર્મિક મહત્વ છે પરંતુ સરકારી અણાઅવડતને લીધે નર્મદામાં જળસ્તર સૂકાઈ ગયાં છે અને હજારો શ્રધાળુઓ નર્મદા સ્નાનથી વંચિત રહ્યાં રહ્યાં છે સ્નાન માટે આવતાં શ્રધાળુઓ નર્મદાના સૂકાયેલા નીર જોઈ નિરાશ થઈ રહ્યાં છે. સરકારની અણઆવડતનાં લીધે સર્જાયેલી આ પરિસ્થિતિ અંગે અહેમદ પટેલે માંગ કરી છે કે સાંપ્રત પરિસ્થિતિ પારખીને સરકાર નર્મદામાં જળસ્ત્રોત પુન: પૂર્વવત કરે અને શ્રધાળુઓને પાવન અધિક માસમાં નર્મદા સ્નાનનો લ્હાવો મળે એની ગોઠવણ કરે

નોંધનીય છે કે નર્મદા નદીમાં છેલ્લાં એક વર્ષ થી પણ વધુ સમય જળસંકટ છે અને આંદોલનો પણ થયા છે પણ સરકારે આ દિશામા કોઈ જ પગાલા ભર્યાં નથી જેથી ભરૂચની જનતામાં ભારે આક્રોશ છે ત્યારે એહમદ પટેલની આ રજુઆત અને માંગને ગુજરાત સરકાર કેટલી ગંભીરતાથી લે છે એ જોવું રહ્યુ.


Share

Related posts

ગોધરા બ્લોક કક્ષાનો દિવ્યાંગ બાળકોનો ગરબા મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

અંકલેશ્વરનાં મોતાલી ગામમાંથી 6 દિવસ પહેલા ગુમ થયેલ કિશોરનો મૃતદેહ મળી આવતા ચકચાર.

ProudOfGujarat

ઝધડીયાનાં દરિયા ગામનાં પરણિત યુવાન અને યુવતીએ ગામનાં ખેતરમાં ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!