Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં મોતાલી ગામમાંથી 6 દિવસ પહેલા ગુમ થયેલ કિશોરનો મૃતદેહ મળી આવતા ચકચાર.

Share

અંકલેશ્વરના મોતાલી ગામના કૈલાસ ટેકરી ફળિયામાં રહેતો 17 વર્ષીય જિગ્નેશ જીતુભાઈ વસાવા ગત તારીખ-12 મી નવેમ્બરના રોજ રાતે 8:30 કલાકથી ગુમ થયો હતો. કિશોર ગુમ થતાં પરિવારજનોએ અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી, જે કિશોરનો 6 દિવસ બાદ અંકલેશ્વર તાલુકાનાં ઉછાલી ગામની સીમમાંથી ઝાડી ઝાખરામાંથી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

બનાવ અંગે ઉછાલી ગામના ગ્રામજનોએ તાલુકા પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી કિશોરની હત્યા થઈ છે કે અન્ય કારણોસર તેનું મોત નીપજયું છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : સ્વર્ગીય અહમદભાઈ પટેલ સાહેબનાં સ્મરણ અર્થે સ્ટેચ્યુ બનાવવા અને અન્ય કરાયેલી જાહેરાતને પૂર્ણ કરવા સ્થાનિક સામાજિક સંસ્થા દ્વારા ઉદ્યોગ મંડળને રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસનાં કાર્યકર સંદીપ માંગરોલાએ ઝાયડસ કેડીલાનાં સી.એમ.ડી. ને રેમેડીસીવીરનાં ઇન્જેક્શન આપવા માંગ કરાઇ.

ProudOfGujarat

નડિયાદ : સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં કોન્વોકેશન સેરેમની કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!