Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં આવેલ જીઆઇએલ કંપનીમાં કામદારનું રહસ્યમય મોત થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો

Share

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જીઆઇએલ કંપનીમાં એક કામદારની તબીયત લથડતા સારવાર મળે તે પહેલા જ મોત નિપજતા જીઆઇડીસી પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

જાણવા મળ્યા મુજબ અંકલેશ્વર તાલુકાના નવા તરીયા ગામે રહેતા 49 વર્ષીય ભીમસીંગ વસાવા જીઆઇડીસી માં આવેલ જીઆઇએલ કંપનીમાં કામ કરી રહ્યા હતા તે દરમ્યાન તેઓની તબીયત બગડતા સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ તેમના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ અંગે જીઆઇડીસી પોલીસ મથક માં જાણ કરતા પોલીસે આવીને આકસ્મિક મોત અંગેનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

યોગી પટેલ

 


Share

Related posts

છોટાઉદેપુર : ધમોડી ગામમાં ખૂનના ગુનાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ.

ProudOfGujarat

વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં કુટણખાનુ ચલાવતી મહિલા ઝડપાઈ.

ProudOfGujarat

પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ રજૂ કરે છે ભારતનું પ્રથમ વૈશ્વિક રિયલ એસ્ટેટ સિક્યોરિટીઝ ફંડ

ProudOfGujarat
error: Content is protected !!