Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની આમલાખાડી પર બુલેટ ટ્રેનનાં કોન્ટ્રાક્ટરો દ્વારા પાઇપો નાંખી પાણીને અવરોધ રૂપ રસ્તો બનાવતા પ્રજાને હાલાકી

Share

આમલાખાડી પર બુલેટ ટ્રેન વિભાગ દ્વારા ફરી એક વખત પાઇપો નાખી બનાવવામાં આવેલ હંગામી રસ્તો આમલાખાડીનાં વહી રહેલ પાણી માટે અવરોધ રૂપ બની રહ્યો છે. આ અગાઉ પણ આં રસ્તા નાં લીધે વર્ષા ઋતુ માં ધોધમાર વરસાદ આવતા પિરામણ ગામ અને અંક્લેશ્વર શહેર ની પ્રજા ને આમલાખાડીનાં ઓવરફ્લોનાં કારણે રસ્તાઓ બંધ થતાં હાલાકીનો સામનો કરવો પડયો છે.

પિરામણ ગામનાં રહીશ સલીમ પટેલે જણાવ્યું હતું કે ” વારંવાર આમલાખાડી ઓવર ફલો થવાના કારણે રસ્તાઓ બંધ થઇ જાય છે.આં સીઝન માં ઓછા વરસાદ માં પણ પિરામણ ગામ નો રસ્તો અનેક વખત બંધ થઈ ગયો હતો. હાલ ઓ એન જી સી બ્રિજ બંધ હોવાથી જી આઇ ડી સી તરફ અવર જવરના માટે બાકી રહેલ એક માત્ર રસ્તો બંધ થવા થી પ્રજા ભારે હાલાકીનો સામનો કરી રહેલ છે. આ બાબતે અમોએ મામલતદાર સાહેબ અંક્લેશ્વર ને જૂન મહિના માં જાણકારી આપી હતી સાહેબે ચોમાસા પેહલા પાઇપો દૂર કરાવવા ની સૂચનાઓ આપી હતી પણ તે દૂર કરવામાં આવી નથી. ભારે વરસાદ માં આં હંગામી બનાવેલ રસ્તા ઉપરથી પાણી જવાથી માટી ધોવાઈ ને ખાડી માં જવાથી ખાડી માં પુરાણ થઈ રહ્યું છે. રેલવે વિભાગ ને કામ ની ઉતાવળ છે તો એ ત્યાં સ્લેબ ડ્રેન પુલ બનાવી કાર્યવાહી કરી શકે છે જેથી પાણી ને અવરોધ નહી થાય. પાઈપ નાખી રસ્તો બનાવવાથી પાણી ને અવરોધ થઈ રહ્યો છે. ઇજારદાર પ્રજા ને પડી રહેલ હાલાકી થી અજાણ હોઈ શકે પરંતુ તંત્ર આં બાબતે કેમ મૌન રહી શકે?

Advertisement

Share

Related posts

સુરત:- લોકભાગીદારીથી નવનિર્મિત ગોડાદરા પોલીસ સ્ટેશનનું ગૃહરાજયમંત્રીએ કર્યું લોકાર્પણ .

ProudOfGujarat

ભરૂચ : ગણેશ સુગર અંગે દુષ્પ્રચાર કરનાર કઠીત ચાર ડિરેક્ટરો સામે પગલા ભરવા બોર્ડ દ્વારા ઠરાવ પાસ કરાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા નેશનલ હાઈવે પર મુસાફરોને સર્વિસ રૉડ બનાવી આપવા માંગ સાથે આવેદન પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!