Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા પૂરની સ્થિતિ માટે જવાબદાર ભાજપની સરકાર છે : સંદીપ માંગરોલા

Share

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ભારતીય જનતા પાર્ટીની સરકારની બે જવાબદાર નીતિના કારણે ઇતિહાસમાં પ્રથમ વખત ડેમને અડીને આવેલા ઉપરવાસના ગામોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. નર્મદા જિલ્લાના કાંઠાના વિસ્તારના ગામો સાથે ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં ખૂબ જ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને ઇતિહાસમાં પ્રથમ વખત મોટી પૂરની પરિસ્થિતિ માનવસર્જિત ઉભી થવા પામી છે. જેના માટે જવાબદાર ભાજપની સરકાર અને તંત્ર છે. કેવડીયા કોલોની ખાતે અનેક વ્યવસાયિક સ્થાનો ઉપર પાણી ભરાઈ જતા કરોડો લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતી છે. હજારો એકરની ખેડૂતોની જમીનમાં પાણી ભરાવાથી કેળ, શેરડી સહિતના પાકોને ખૂબ મોટું નુકસાન થવાનું છે. ગુજરાતના મુખ્યમંત્રી અને તેમનું તંત્ર નિંદ્રાધીન હોય એમ નર્મદાના નીરના વધામણા કરવાના ગટકડાઓ કરવામાં વ્યસ્ત છે. આવી બે જવાબદાર સરકાર ઇતિહાસમાં પહેલી વખત જોવા મળી રહી છે. જે ગુજરાતના લોકોની કમનસીબી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી સંદીપ માંગરોળા દ્વારા કાંઠા વિસ્તારના તમામ અસરગ્રસ્ત ગામોના ગ્રામજનોને કોઈ પણ પ્રકારની તાત્કાલિક મદદ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેનો હેલ્પલાઇન નંબર સોશિયલ મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

આ ભયાનક સ્થિતિમાં અસરગ્રસ્ત ગામોની મુલાકાત માટે કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા અન્ય આગેવાનો સાથે હાલમા કાંઠા વિસ્તારના ગામોમા ફરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

વલસાડ રૂરલ પોલીસ દ્વારા બુટલેગરો પર કાયદાનો માર

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે GIDC ઓફીસમાં જન જાગૃતિ આંદોલનની મહીલાઓનો હલ્લાબોલ…

ProudOfGujarat

ભરૂચની જે.પી. કોલેજ કેમ્પસમાં ભાજપાનાં કેટલાક સભ્યો દ્વારા CAA નાં સમર્થનનું બેનર લઈ પ્રચાર કરતાં કોલેજમાં NSUI દ્વારા તેનો વિરોધ કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!