Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર તંત્રની આખરે આંખ ખૂલી : ૨ અકસ્માતની ઘટના બાદ સુરવાડી ઓવરબ્રિજની સાઈડ ઉપર રેલિંગ લગાવવાની કામગીરી શરૂ.

Share

અંકલેશ્વર શહેરમાં ગત મહિને સુરવાડી ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ કરવાનું મુખ્ય કારણ ફાટકો પર લોકોએ પોતાના સમયનો વેડફાટ કરવો ન પડે જેના અનુસંધાને સુરવાડી ઓવેરબ્રિજ બનાવામાં આવ્યો હતો પરંતુ લોકાર્પણના થોડા જ દિવસોમાં અકસ્માતની હોનારત સર્જાઈ હતી. લોકાર્પણ બાદ પણ ઓવેરબ્રિજનું ઘણું કામ બાકી રહ્યું હતું.

અંકલેશ્વર સુરવાડી ઓવરબ્રિજની સાઈટ ઉપર રેલિંગ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. સ્ટ્રીટ લાઈટોનો અભાવ સાથે સાઈડમાં રેલિંગ ન હોવાને કારણે અવારનવાર ભયનો માહોલ સર્જાતો હતો, આસપાસના વિસ્તારના લોકો દ્વારા ઘણી રજૂઆત બાદ આખરે અંકલેશ્વર તંત્રની ઊંઘ ઉડી હોવાનું લોકચર્ચા થઇ રહી હતી.

આજરોજ સુરવાડી બ્રિજની સાઈડના ભાગોમાં રેલિંગ લગાવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેથી નીચે પડી જવાનો ભય ઓછો રહે અને હવે જોવું રહ્યું કે સ્ટ્રીટ લાઈટો લગાવા માટે કયારે સરકારની ઊંઘ ઉડશે?

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

પાલેજ અને વરેડીયા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જતા આધેડનું મોત.

ProudOfGujarat

લખતર તાલુકાના વિઠ્ઠલગઢ વિસ્તારમાં સાયકલોન ત્રાટક્યું.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જી.એસ કુમાર વિદ્યાલયમાં સૂર્ય નમસ્કારની તાલીમ આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!