Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર તંત્રની આખરે આંખ ખૂલી : ૨ અકસ્માતની ઘટના બાદ સુરવાડી ઓવરબ્રિજની સાઈડ ઉપર રેલિંગ લગાવવાની કામગીરી શરૂ.

Share

અંકલેશ્વર શહેરમાં ગત મહિને સુરવાડી ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ કરવાનું મુખ્ય કારણ ફાટકો પર લોકોએ પોતાના સમયનો વેડફાટ કરવો ન પડે જેના અનુસંધાને સુરવાડી ઓવેરબ્રિજ બનાવામાં આવ્યો હતો પરંતુ લોકાર્પણના થોડા જ દિવસોમાં અકસ્માતની હોનારત સર્જાઈ હતી. લોકાર્પણ બાદ પણ ઓવેરબ્રિજનું ઘણું કામ બાકી રહ્યું હતું.

અંકલેશ્વર સુરવાડી ઓવરબ્રિજની સાઈટ ઉપર રેલિંગ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. સ્ટ્રીટ લાઈટોનો અભાવ સાથે સાઈડમાં રેલિંગ ન હોવાને કારણે અવારનવાર ભયનો માહોલ સર્જાતો હતો, આસપાસના વિસ્તારના લોકો દ્વારા ઘણી રજૂઆત બાદ આખરે અંકલેશ્વર તંત્રની ઊંઘ ઉડી હોવાનું લોકચર્ચા થઇ રહી હતી.

આજરોજ સુરવાડી બ્રિજની સાઈડના ભાગોમાં રેલિંગ લગાવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેથી નીચે પડી જવાનો ભય ઓછો રહે અને હવે જોવું રહ્યું કે સ્ટ્રીટ લાઈટો લગાવા માટે કયારે સરકારની ઊંઘ ઉડશે?

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ભરૂચ ના પાલેજ ગામ. નજીક નેશનલ હાઇવે ૮ ઉપર જ રોજ સવાર ના સમયે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત માં એક નું મોત તેમજ ત્રણ યક્તિઓ ઘાયલ થયા હતા ………

ProudOfGujarat

પાલેજ વિસ્તારમાં ઉકળાટ વચ્ચે બે દિવસમાં હળવા વરસાદની શરૂઆત થઈ.

ProudOfGujarat

સોસીયલ મીડિયામાં ફેસબુક માં છેલ્લા બે ચાર દિવસથી ચારણી આઈ મોગલમાં વિસ કોઈ અસામાજીક તત્વ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા સમગ્ર વિશ્વમાં હિન્દૂ મુસ્લિમ સહિતના સમજો જેના પૂજનીય ચારણી આઈ મોગલમાં વિસે અભદ્ર ભાષા વાપરનાર અસામાજીક તત્વની સામે આક્રોશ રોષ ફાટી નીકળ્યો છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!