Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં ખુબ જ જટિલ અને જવલ્લેજ થતી મગજની એન્યુરિઝમ કોઇલિંગની સર્જરી થકી દર્દીને નવજીવન આપ્યું.

Share

ભરૂચના વતની ૪૫ વર્ષની મહિલાને મગજની નસ ફાટી જવાના કારણે (એન્યુરિઝમ રપ્ચર) બેભાન અવસ્થામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં દર્દીનું ચીરા વગરનું ઓપરેશન કે જેમાં મગજની નસની અંદર એન્યુરિઝમ (નસના સોજા) વાળા ભાગમાં કોઇલ ફીટ કરી રક્તસ્ત્રાવ (બ્લીડીંગ) બંધ કરી, હેમરેજને અટકાવાયું અને દર્દીને નવું જીવન આપવામાં આવ્યું.

આ પ્રકારની જટિલ અને જવલ્લેજ થતી સર્જરી હોસ્પિટલના ફુલટાઇમ ન્યુરોસર્જન ડૉ. જયપાલસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી. ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર આ પ્રકારની સર્જરી થતા હવે દર્દીઓને મોટા શહેરો સુધી જવાની જરૂર રહેશે નહિ. ઉલ્લેખનીય છે કે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં ઉપલબ્ધ અદ્યતન ઓપરેશન થિયેટર અને ન્યુરોસર્જરીના તમામ સાધનો થકી આ પ્રકારના ઘણા જટિલ ઓપરેશન શક્ય બન્યા છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ગુજરાત હાઈકોર્ટે વર્ષોથી પડતર કેસોની સુનાવણી અંગે મહત્વનો નિર્ણય લીધો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ખુબ ઊંચા વ્યાજે ધિરાણ કરતી ગેંગ…આ ગેંગને નાણા પુરા પાડતા મોભાદાર વ્યક્તિઓ

ProudOfGujarat

અંકલેશ્વર શાંતિનગર નજીક લાકડા ના ગોડાઉન માં પ્લાય પડતા મહિલા નું મોત અન્ય 3 ઈસમો ને ઇજા પહોંચી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!