Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની હોસ્પિટલમાં 8 ICU બેડનું લોકાર્પણ કરાયું.

Share

અંકલેશ્વરની સનરાઈઝ હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ કેર હોસ્પિટલને પ્રથમ વર્ષ પૂર્ણ થતા વિશેષ ઉજવણી કરાઇ હતી. હોસ્પિટલમાં સુવિધામાં વધારો કરતા વધુ 8 આઇ.સી.યુ કેર બેડનો પ્રારંભ કર્યો હતો. રાજ્યના નાયબ દંડક દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. નગરપાલીકાના પ્રમુખ વિનય વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતાં. એક વર્ષમાં ખાસ કરી કોરોના કાળમાં હોસ્પિટલ લોકો માટે આશીર્વાદ રૂપ બની હતી.

અંકલેશ્વરના ધારાશાસ્ત્રી પ્રેમચંદ સોલંકીના પુત્ર ડૉ અંકિત વકીલ અને ડૉ કોમલ પંચાલ સાથે એક વર્ષ પૂર્વે થતા આરોગ્ય ક્ષેત્રે સનરાઈઝ હોસ્પિટલ ઊભી કરી શરૂઆત કરી હતી જેનું એક વર્ષ પૂર્ણ થતા હોસ્પિટલ દ્વારા લોકોના આરોગ્ય માટે વધુ સુવિધા કરતા હોસ્પિટલ ખાતે વધુ 8 બેડના આઈ.સી.યુ કેર સેન્ટરની શરુઆત કરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રેલ્વે ટ્રેક ઉપર અગમ્ય કારણોસર યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની સગીરાનું ચાર મહિના પહેલા અપહરણ કરનાર આરોપીને એલસીબીએ ઝડપી લીધો.

ProudOfGujarat

માતૃ વંદના યોજનાની શ્રેષ્ઠ કામગીરી બદલ ભરૂચ જિલ્લાને અેવોર્ડ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!