Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની હોસ્પિટલમાં 8 ICU બેડનું લોકાર્પણ કરાયું.

Share

અંકલેશ્વરની સનરાઈઝ હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ કેર હોસ્પિટલને પ્રથમ વર્ષ પૂર્ણ થતા વિશેષ ઉજવણી કરાઇ હતી. હોસ્પિટલમાં સુવિધામાં વધારો કરતા વધુ 8 આઇ.સી.યુ કેર બેડનો પ્રારંભ કર્યો હતો. રાજ્યના નાયબ દંડક દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. નગરપાલીકાના પ્રમુખ વિનય વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતાં. એક વર્ષમાં ખાસ કરી કોરોના કાળમાં હોસ્પિટલ લોકો માટે આશીર્વાદ રૂપ બની હતી.

અંકલેશ્વરના ધારાશાસ્ત્રી પ્રેમચંદ સોલંકીના પુત્ર ડૉ અંકિત વકીલ અને ડૉ કોમલ પંચાલ સાથે એક વર્ષ પૂર્વે થતા આરોગ્ય ક્ષેત્રે સનરાઈઝ હોસ્પિટલ ઊભી કરી શરૂઆત કરી હતી જેનું એક વર્ષ પૂર્ણ થતા હોસ્પિટલ દ્વારા લોકોના આરોગ્ય માટે વધુ સુવિધા કરતા હોસ્પિટલ ખાતે વધુ 8 બેડના આઈ.સી.યુ કેર સેન્ટરની શરુઆત કરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચ : કોરોનાનું ભથ્થું તાત્કાલિક ધોરણે ચૂકવવા મહિલા શક્તિ સેનાએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચ કોવિડ સ્મશાનમાં કોવિડ પ્રોટોકોલથી અંતિમક્રિયાનો સિલસિલો યથાવત, ૨૪ કલાકમાં ૧૪ ને અગ્નિદાહ અપાયા.

ProudOfGujarat

પુલવામાંમા આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોના પરિવારજનો ભરૂચમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના જાણો ક્યાં અને ક્યારે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!