Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ અનાથ આશ્રમ ખાતે શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા દિવાળી નિમિત્તે મીઠાઈ આપવામાં આવી.

Share

અંકલેશ્વર શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ અને પ્રોફેશનલ સર્વિસ દ્વારા દીપાવલી પર્વના શુભ અવસરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ નારી સંરક્ષણ કેન્દ્ર અને શિશુ ગૃહો ખાતે બાળકો અને સ્ટાફ માટે મીઠાઈનું વિતરણ કરાયું હતુ.

સનાતન ગ્રુપ દર વર્ષે આવા અનેકો સેવાભાવી કાર કરતા હોય છે જેના ભાગરૂપે આજે પણ સનાતન ગ્રુપ દ્વારા મીઠાઈ વિતરણના આયોજન કરવામાં આવ્યા હતાં અને સંસ્થાનાં સ્ટાફ મેમ્બરોને એમની સારી કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શિશુ ગૃહના અલ્કેશભાઇ અને નારી સંરક્ષણ કેન્દ્રના ભૂમિકાબેન અને સનાતન ગ્રુપના એસ કે મિશ્રા રાકેશ યાદવ, અમિત યાદવ, વિશ્વજીત યાદવ ઉપસ્થિત રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

વાલિયા પોલીસે ૨૦૦૮ ના વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપી પાડ્યો …….

ProudOfGujarat

કરજણ ફાયર વિભાગ દ્વારા મિયાગામ કન્યાશાળામાં મોકડ્રિલ યોજાઇ, આકસ્મિક ઘટના સમયે સુરક્ષા માટે માહિતી આપવામાં આવી…

ProudOfGujarat

પાલેજની સ્ટીલકો કંપનીમાંથી 4.50 લાખનો મુદ્દામાલની ચોરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!