Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ઇદ- ઉલ -અઝહાની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ.

Share

ઇસ્લામ ધર્મમાં વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર એટલે ઈદ ઉલ અઝહા. ઈદ ઉલ અઝહાનો તહેવાર બકરી ઈદ તરીકે પણ ઉજવાય છે, ત્યારે આજે અંંકલેશ્વરમાં મુસ્લિમ બિરદારોએ ઈદ-ઉલ-અઝહાની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.

ઈદ-ઉલ-અઝહા, અઝહા અથવા દુહાનો અર્થ અરબીમાં કુરબાની થાય છે. એટલે ઇદુલ જહાનો અર્થ કુરબાનીનો તહેવાર થાય છે, ત્યારે આજે અંકલેશ્વર તાલુકામાં વસતા મુસ્લિમ બિરદારોએ ઈદ-ઉલ-અઝહાના પર્વની ભવ્ય ઉજવણી કરી એકમેકને શુભેચ્છા પાઠવી હતી. જોકે, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે ઈદગાહ મેદાને મુસ્લિમ બિરાદરો દ્વારા નમાજ મોકૂફ રાખવામાં આવી હતી. મુસ્લિમ સમાજે બકરી ઈદના પવિત્ર દિવસે પઢવામાં આવતી નમાઝ ઘર નજીકની મસ્જિદમાં અદા કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

Share

Related posts

શું વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉતારશે 100 નવા ચહેરા? પાટીલના નિવેદને ઉડાડી ઊંઘ!

ProudOfGujarat

ભરૂચ : નબીપુરનાં એક આશાસ્પદ ઇસમે બિરલા ગ્રાસિમ કંપનીમાં આત્મહત્યા કરી.

ProudOfGujarat

જાણો કોરોના વાયરસનાં દર્દીઓને બચાવનારા પ્લાઝમા શું છે દેશની પ્રથમ પ્લાઝમા બેંક બનાવવાનો ગુજરાતનો દાવો .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!