Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ઊછાલી પાસે હનુમાનજી મંદિરના પૂજારી મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ઊછાલી ગામ પાસેના પેટ્રોલપંપની સામે હનુમાનજી મંદિર નર્મદા કુટિરના મંગલદાસ મહારાજ મંદિર ખાતેના રૂમમાં મૃત હાલતમાં મળી આવતા ભારે ખળભળાટ મચ્યો છે. અચાનક મહારાજના મોત બાદ સ્થળ ઉપર એક સમયે લોકોના ટોળેટોળા જામ્યા હતા.

ઘટના અંગેની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે કરવામાં આવતા પોલીસના કર્મીઓએ સ્થળ પર પહોંચી મહારાજની લાશનો કબ્જો લઇ તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી હતી. પ્રાથમિક જાણકારી મુજબ મહારાજને ચક્કર આવ્યા બાદ તેઓ પડી જતા મોત થયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડી શકે તેમ છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

પાલેજ-વલણ ગામ વચ્ચેના રોડનું કામ પૂર્ણતાનાં આરે, વાહનચાલકોમાં ખુશીની લહેર…

ProudOfGujarat

ભરૂચ બાવા રેહાન દરગાહની જમીન પર અનઅધિકૃત બાંધકામ ચાલતું અટકાવવા કલેક્ટર કચેરીમાં કરાઇ રજૂઆત..!!

ProudOfGujarat

ગુજરાતની કેસર કેરીની ડિમાન્ડ યુ.એસ.એ અને યુરોપમાં વધી, વિવિધ દેશોમાં કેસર કેરી લોકપ્રિય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!