Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં પ્રદુષણ માફિયા બેફામ બન્યા, રાજપીપળા ચોકડી પાસે કાંસમાં પ્રદુષિત જળ વહેતું નજરે પડ્યું

Share

ભરૂચ જિલ્લામાં ઔધોગિક નગરી તરીકે વિકસેલ અંકલેશ્વર શહેરમાં અવારનવાર વાયુ પ્રદુષણ અને જળ પ્રદુષણની ફરીયાદો જાગૃત નાગરિકો દ્વારા જે તે લાગતા વળગતા વિભાગોમાં અવારનવાર કરવામાં આવતી હોય છે, તેમ છતાં કેટલાક બે જવાબદાર ઉદ્યોગો હમ નહીં સુધરેંગે જેવી નીતિ અપનાવી યેનકેન પ્રકારે પ્રદુષણ ફેલાવી શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા હોય તેવા કૃત્ય કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ એક ખુલ્લી વરસાદી કાંસમાં બિન્દાસ અને બેરોકટોક રોતે કોઈક બેજવાબદાર પર્યાવરણના દુશ્મન સમાન તત્વો દ્વારા કાંસમાં કલરીંગ પ્રદુષણ યુક્ત પાણી છોડવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં આ પ્રકારના તત્વો સામે ભારે નારાજગી જોવા મળી છે તેમજ મામલે જીપીસીબી માં ફરિયાદ કરી આ પ્રકારે પ્રદુષણ ફેલાવતા તત્વોની તપાસ કરી તેઓ સામે પગલાં ભરવા માંગ કરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જેવા ઔધોગિક એકમો ધરાવતા વિસ્તારમાં છાશવારે પ્રદુષણની માત્ર અત્યંત જોખમ સમાન બનતી ભૂતકાળના દિવસોમાં aiq index માં જોવા મળી હતી તો ફરી એકવાર આ પ્રકારે વરસાદી કાંસમાં પ્રદુષણ યુક્ત જળના કારણે આસપાસની ખાડીઓમાં રહેલ જળચર પ્રાણીઓ તેમજ પાણી પીવા આવતા પશુઓ માટે જોખમી સ્થિતિનું સર્જન થયું છે.

Advertisement

Share

Related posts

લીંબડી સર જે હાઈસ્કૂલ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ.

ProudOfGujarat

ઝઘડિયા : લોક ડાઉન વધવાની અફવાનો લાભ લઈ ગુટખાનું વેચાણ કરતા કાળા બજારીયાઓ સક્રિય બન્યા.

ProudOfGujarat

કોંગ્રેસનાં નેતા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતા AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!