Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ ESIC હોસ્પિટલમાં DCM કંપની દ્વારા બે ઓક્સિજન પ્લાન્ટ ડોનેટ કરાયા : કલેકટર ડો.એમ.ડી.મોડિયાના હસ્તે કરાયું લોકાર્પણ.

Share

કોરોનાની બીજી લહેરમાં ગુજરાતભરમાં ઓક્સિજનની અછતને લઈ હોહાપો મચ્યો હતો. ચુડા સીએચસીમાં અંકલેશ્વરની ડેક્કાન કંપનીએ વિનામુલ્યે ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કર્યો છે. 25 દર્દીને પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. ચુડા સીએચસીમાં ઓક્સિજન પ્લાન્ટ મળતા ભવિષ્યમાં ઓક્સિજનની બોટલો ભરાવવા માટે ધક્કા બચી જશે.

મોટાભાગની સરકારી હોસ્પિટલો, સામુહીક આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજનની અછતના બુમરાણા સંભળાયા હતા.ઓક્સિજનની અછતના કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો પણ વારો આવ્યો હતો. ચુડા તાલુકાના 36 ગામો વચ્ચેનું એકમાત્ર સામુહીક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડનું કોવીડ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું. પરંતુ ઓક્સિજનની જરૂરીયાતવાળા દર્દી માટે સુરેન્દ્રનગરથી બોટલો ભરાવવા માટે ધક્કા ખાવા પડતા હતા. સરકાર દ્વારા સરકારી હોસ્પિટલો અને સીએચસીમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે મોટી કંપનીઓને આહ્વાન કરવામાં આવ્યું હતું. લોકસેવા માટે તત્પર અંકલેશ્વરની ડેક્કાન કંપનીએ ચુડા સામુહીક આરોગ્ય કેન્દ્રમાં વિનામુલ્યે 19 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કર્યો છે. ચુડા સીએચસીના ડૉ.બી.જે.ગોહીલે જણાવ્યું હતું કે 25 બેડના દર્દીને પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહેશે તેવો આશાવાદ છે.

Advertisement

Share

Related posts

ગોધરા : માં શક્તિ યુવક મંડળનાં યુવાનો લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે આદિવાસી લોકોને ભોજન પૂરું પાડી રહ્યા છે.

ProudOfGujarat

તા. ૨૫ મી એ નર્મદા જિલ્‍લાનો જિલ્લાકક્ષાનો “સ્વાગત ઓનલાઇન” ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

ProudOfGujarat

નર્મદા નદી કિનારાના વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ હાલ વાહનોની અવર-જવર માટે ખુલ્લા કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!