Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર વાલિયા રોડ પર રવિરત્ન મોટર્સમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ

Share

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેકો ઘટનાઓ સામે આવી છે, જિલ્લામાં ખાસ કરી અંકલેશ્વર પંથકમાં આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળ્યો છે, તેવામાં વધુ એકવાર વીતેલા 24 કલાકમાં જ આગ લાગવાની ત્રીજી ઘટના સામે આવી હતી.

અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ રવિરત્ન મોટર્સના વર્ક શોપમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી, આગ લાગવાની ઘટનાના પગલે આસપાસ ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી હતી, આગની ઘટનામાં શો રૂમમાં રહેલ બે જેટલી કાર આગની ઝપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી, તેમજ અંદર રહેલા પક્ષીઓ પણ આગની ઝપેટમાં આવતા ઈજાગ્રસ્ત થયા હતા.

Advertisement

અચાનક લાગેલ આગ લાગવાની ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના કર્મીઓએ લાયબંબા સાથે તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઈ પાણીનો મારો ચલાવી આગને ગણતરીના સમયમાં કાબુમાં લીધી હતી, ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી જોકે શો રૂમને નુકશાની થવા પામી હતી.


Share

Related posts

ભરૂચનાં અંકલેશ્વર ખાતે પેટા કોન્ટ્રાકટરનું અપહરણ કરી માર માર્યો… જાણો વધુ.

ProudOfGujarat

કંસાલી ગામે ખેતરમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી માંગરોળ પોલીસ.

ProudOfGujarat

ભરૂચ રાજ્યમાં કોરોના સંક્રમિત વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં ફરજ દરમ્યાન મોત થવાથી પોલીસ અધિકારીઓ દ્વારા બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!