Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર વાલિયા રોડ પર રવિરત્ન મોટર્સમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ

Share

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેકો ઘટનાઓ સામે આવી છે, જિલ્લામાં ખાસ કરી અંકલેશ્વર પંથકમાં આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળ્યો છે, તેવામાં વધુ એકવાર વીતેલા 24 કલાકમાં જ આગ લાગવાની ત્રીજી ઘટના સામે આવી હતી.

અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ રવિરત્ન મોટર્સના વર્ક શોપમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી, આગ લાગવાની ઘટનાના પગલે આસપાસ ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી હતી, આગની ઘટનામાં શો રૂમમાં રહેલ બે જેટલી કાર આગની ઝપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી, તેમજ અંદર રહેલા પક્ષીઓ પણ આગની ઝપેટમાં આવતા ઈજાગ્રસ્ત થયા હતા.

Advertisement

અચાનક લાગેલ આગ લાગવાની ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના કર્મીઓએ લાયબંબા સાથે તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઈ પાણીનો મારો ચલાવી આગને ગણતરીના સમયમાં કાબુમાં લીધી હતી, ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી જોકે શો રૂમને નુકશાની થવા પામી હતી.


Share

Related posts

અંકલેશ્વરનાં સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં અનાજ કરિયાણાની દુકાનમાં વેચાતી હતી નશાની ગોળીઓ.

ProudOfGujarat

નર્મદાના જીતનગરમાં 347 કેદીઓની ક્ષમતા ધરાવતી જેલનું કરોડોના ખર્ચે નિર્માણ :9 મી ફેબ્રુઆરીએ જૂની સબ જેલના 94 કેદીઓને ટ્રાન્સફર કરાશે.

ProudOfGujarat

સિંચાઇ યોજનાનું કામનું નિરીક્ષણ કરી આદિવાસી સમાજને સિંચાઇની સુવિધા મળે તે માટે વેગ આપતા પૂર્વ કેબિનેટ મંત્રી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!