Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક ફાટક પાસે પાછળથી ટ્રક ચાલકે વેગેનાર કારને ટકકર મારી બે વાહનોને અડફેટે લઈ લેવાની ધટના ધટી છે.

Share

અંકલેશ્વર ઝધડીયા વચ્ચેનો રસ્તો હંમેશા વાહન ચાલકોથી ભરેલો રહે છે ત્યારે નાના મોટા અકસ્માતો થાય છે. ગઇકાલે રાત્રીનાં હાઈવા ચાલકે આશાસ્પદ યુવકને અડફેટે લઈને મોતને ધાટ ઉતારવાની ધટના બાદ આજે વહેલી સવારે ફરી હાઈવા ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા છે. સવારે રાજપીપળા ચોકડી નજીક ફાટક પાસે પૂર ઝડપે જતાં હાઇવા ચાલકે મારૂતિ વેગેનાર સહિત અન્ય વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ ત્રણ વાહન ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે અકસ્માત સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ત્યારે હવે આ રાજપીપળા-અંકલેશ્વર રોડ ઉપર વાહન ચાલકોની ગતિ મર્યાદાને ધીમી કરવાનાં બોર્ડ મારવાની જરૂરત ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર નર્મદા નિગમના વહિવટી સંચાલક જે.પી.ગુપ્તાના હસ્તે થયુ ધ્વજવંદન.

ProudOfGujarat

સિંચાઇ યોજનાનું કામનું નિરીક્ષણ કરી આદિવાસી સમાજને સિંચાઇની સુવિધા મળે તે માટે વેગ આપતા પૂર્વ કેબિનેટ મંત્રી.

ProudOfGujarat

ભરૂચ જે.બી મોદી પાર્કથી પશ્ચિમ વિસ્તારને જોડતો માર્ગ ચાલુ કરવા કલેકટરને રજૂઆત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!