Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં સાધુ બીડી પીતા જ શરીરે આગ લાગતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા.

Share

ભરૂચમાં અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે સવારે નર્મદા પરિક્રમા કરતાં સાધુએ બીડી પીતા શરીરે પહેરેલ કપડે આગ લાગી જતાં શરીરે ગંભીર દાઝી જતાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજરોજ સવારે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન બહાર નર્મદા પરિક્રમા વાસી એવા સાધુ-ઢોધુ મુરલીધર સોનારા ઉં.-55 વર્ષ રહેવાસી મહારાષ્ટ્ર નાઓ સવારે સ્ટેશન બહાર બીડી પીવા બેઠા હતા તે દરમ્યાન બીડીનો ગલ તેમના પહેરેલા કપડે પડતાં કપડામાં આગ લાગી જતાં તેઓનાં કપડાં સળગી ઉઠયા હતા. જયારે તે શરીરે ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક 108 એમ્બુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ લોકોમાં થતાં હડકંપ મચી ગયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : એમ.કે. કોલેજ ઓફ કોમર્સનાં વિદ્યાર્થીઓમાં કોરોનાનો કોઈ ભય નહીં : પરીક્ષા બાદ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ.

ProudOfGujarat

વડોદરા : પાણીગેટથી માંડવી સુધીના રોડ પર વેપારીઓને દબાણ નહીં કરવા સ્પષ્ટ સૂચના

ProudOfGujarat

કોસંબાના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે સગા ભાઈઓને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!