Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર અને વાલિયા તાલુકાના વિસ્તારોમાંથી પસાર થતી આમલાખાડી ઉભરાય, કોયલી અને ધતૂંરીયા ગામની સીમમાં પાણી ફરી વળ્યું

Share

સમગ્ર દેશની પ્રદુષિત ખાડીઓમાં જેની ગણના થાય છે. તેવી આમલાખાડીમાં ભારે વરસાદ અને કંપનીઓ દ્વારા છોડાતા કેમિકલયુક્ત પાણીના પગલે આમલાખાડી ઉભરાય હતી. આમલાખાડી અંકલેશ્વર અને વાલિયા તાલુકામાંથી પસાર થાય છે. ત્યારે ખાડીની આજુ-બાજુ આવેલા ખેતરોમાં પાણી ફરી વળતાં કોયલી, ધંતુરીયા અને અન્ય ગામોની સીમમાં આવેલ ૫૦૦ વીંગા જેટલી જમીનમાં આમલાખાડી નું કેમિકલ યુક્ત પાણી ફરી વળતા કિસાનોને ભારે નુકસાન થયું છે તે સાથે ભરતીના પાણી હોવાના પગલે ખાડીમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. અંકલેશ્વર તાલુકામાં ભારે વરસાદ વરસતા આમલાખાડી ઉભરાઈ ગઈ હતી. તેથી ખાડી ના કિનારે આવેલ ખેતરમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થતા કિશાનોને જંગી આર્થિક નુકસાન થયું છે. જે અંગે વળતર ની માંગ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વનું વાતાવરણ જામ્યું: ઠેર ઠેર બટાકા અને શક્કરીયાના હંગામી બજારો

ProudOfGujarat

ભરૂચ : નબીપુરથી બિલાલ હજ & ઉમરાહ ટ્રાવેલ્સની ટૂર ઉમરાહ માટે મક્કા મદીના જતાં ટ્રાવેલ્સના સંચાલકોમાં ખુશીની લહેર વ્યાપી.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે કાપોદ્રા ગામ સ્થિત એમ.પી નગરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!