Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ને અડીને આવેલા ભંગારનાં ગોડાઉનમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી.

Share

છેલ્લા એક મહિનાનાં સમય દરમિયાન અંકલેશ્વર પંથકમાં અગમ્ય કારણોસર લાગતી આગનાં બનાવોમાં એકધારો વધારો થયો હતો વિવિધ કંપનીઓમાં લાગેલ આગમાં જંગી નુકસાન થયું હોવાનો બનાવો પણ બન્યા હતા, ત્યારે આજે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ને અડીને આવેલા ભંગારનાં ગોડાઉનમાં અચાનક અને અગમ્ય કારણોસર આગ લાગી હતી.

ભંગારનાં ગોડાઉનમાં લાગેલ આગનાં ધુમાડાનાં ગોટેગોટા રાષ્ટ્રીય ધોરી માર્ગ પરથી જણાતા હતા. આ આગમાં પૂંઠા, પ્લાસ્ટિક, ખાલી ડ્રમ વગેરે ભંગારનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ એટલી ભયાનક હતી કે આગને કાબુમાં લેવા 5 જેટલા ફાયર ફાયટરોએ અસરકારક કામગીરી કરવી પડી હતી. આવી આગ લાગવાના કારણો છેલ્લે સુધી જાણી શકાતા નથી કેટલાક લોકો આવી આગનાં બનાવો અંગે શંકા કુશંકાઓ પણ ધરાવી રહ્યા છે. અંકલેશ્વર પંથકમાં લાગતી અગમ્ય કારણોસરની આગને અંગે સધન તપાસ થવી તે જરૂરી છે આવી આગમાં જંગી નુકસાન થતું હોય છે.

Advertisement

Share

Related posts

દહેજની GFL કંપનીના મૃતકોને રૂ. 50 લાખનું વળતર આપવા સરકાર સમક્ષ માંગ કરતા કોંગી આગેવાન સંદીપ માંગરોલા*

ProudOfGujarat

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદ દ્વારા “ANTI TOBOCCO DAY” ની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

બુટલેગરોની પસંદ પાનોલી – નશાના વેપલાનું હબ બન્યું અંકલેશ્વર..? પહેલા ડ્રગ્સ, પછી શરાબના ગોડાઉનો અને હવે પાનોલીમાં ફિલ્મી સ્ટોરીની જેમ દારૂનું કટિંગ થતું સામે આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!