Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નોબારીયા સ્કૂલ પાસે રસ્તાની દુબળી કામગીરી સામે સ્થાનિક રહેવાસીઓએ કર્યા સવાલો જાણો વધું

Share

ભરૂચના નોબારીયા સ્કૂલ પાસે આર.સી.સી ના કામમાં ભ્રષ્ટાચાર થયાનું લોકમુખે ચર્ચાય રહ્યું છે. અંકલેશ્વરના નોબારીયામાં શાળા પાસેનો બિસ્માર માર્ગનું કામ તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું. જેમાં તીરડો પડી ગઈ તેવી સ્થાનિક રહેવાસીઓએ વિડિયો વાયરલ કર્યા છે. અહીંના વિસ્તારમાં એક સપ્તાહ પૂર્વે જ આર.સી.સી રોડ બનાવવામાં આવ્યો હતો. જે રોડમાં હાલ તિરાડો પડી ગઈ છે. અત્યંત નબળી કક્ષાનો માલ મટિરિયલ વપરાયું હોય તેવા અહીંના રહેવાસીઓએ આક્ષેપ કર્યા છે. આ વિસ્તારમાં વસવાટ કરતાં જાગૃત નાગરિકે આ રસ્તાનો વિડીયો અને ફોટા વાયરલ કરી અંકલેશ્વર નગરપાલિકાની ભ્રષ્ટ નીતિ સામે અને નબળી કામગીરીના આક્ષેપો કરી સવાલો ઉભા કર્યા છે. અત્રે નોંધનીય છે કે નગરપાલિકા દ્વારા અનેક પ્રકારના કાર્યોમાં ભ્રષ્ટાચાર અને નબળી કામગીરી હોય છે. પરંતુ અહીં સપ્તાહ પહેલા બનાવાયેલા રોડ વિશેના વિડીયો સ્થાનિક રહેવાસીઓએ બહાર પાડી ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિને ખુલ્લી પાડી છે. અહીં વસવાટ કરતાં રહેવાસીઓએ જણાવ્યું છે કે આ બનાવાયેલ રોડ અત્યંત નબળી કક્ષાનો છે. સમગ્ર ઘટનાની લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં વતની સતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ભરથાણીયાને વી.એન.એસ.જી.યુ એ પી.એચ.ડી.ની પદવી એનાયત કરી.

ProudOfGujarat

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના સહ સ્થાપક ટ્રસ્ટીને શ્રેષ્ઠતા પુરસ્કાર પ્રમાણપત્ર એનાયત કર્યો.

ProudOfGujarat

સાંસદ તમારે દ્વાર – કેન્દ્રમાં મોદી સરકારે 9 વર્ષ પૂર્ણ કરતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!