Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં અંકલેશ્વર ખાતે પેટા કોન્ટ્રાકટરનું અપહરણ કરી માર માર્યો… જાણો વધુ.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના કાળમાં ચોરી લૂંટફાટ આત્મહત્યા અને હત્યાના બનાવ ઘણા સામે આવી રહ્યા છે. તે જ રીતે અંકલેશ્વરના પેટા કોન્ટ્રાકટને અપહરણ કરીને તેણે અલગ અલગ જગ્યાએ લઈ જઈને માર મારીને ઈજાગ્રસ્ત હાલતમાં છોડી મુક્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે તા. 24-05-2021 ના રોજ સવારના સમયે આશરે આઠ વગ્યાના સમયગાળે અર્જુન ચૌધરી નામના કોન્ટ્રાકટર તેના મજૂરોને લેવા માટે ઝઘડિયા જી.આઈ.ડી.સી. ખાતે જવા માટે લક્ષ્મણ નગર જવાના રસ્તાના નાકા પર ઉભો હતો તેવા સમયમાં લગભગ સવા નવ એક વાગ્યાના સમયગાળામાં એક ઇનોવા ગાડીમાં ચાર ઈસમો આવ્યા અને અને એક ઈસમનું નામ નિર્ભય મિશ્રાના હાથમાં જાડા લાકડાનું હથિયાર હતું જેને કોન્ટ્રાકટરને કમરના ભાગમાં માર માર્યો હતો અને તેણે અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. બીજો ઈસમ અર્પિત ઝા તેણે લોખંડના સળીયા મારવાની કોશિશ કરેલ હતી. ત્રીજો ઈસમ અજય સિંઘએ હાથના પ્રયાસથી માર માર્યો હતો અને ચોથો ઈસમ ગાડી ચલાવતો હતી એમ ચારેયએ કોન્ટ્રાકટરને જુદી જુદી જગ્યાએ લઈ જઈને મારામારીને અંકલેશ્વર પરત લાવી તેને ઈજાગ્રસ્ત હાલતમાં જ છોડી મુક્યો હતો. રિપોર્ટ અનુસાર આ ઘટના ધંધાકીય નાણાંની લેવડદેવડની હોય તેમ સામે આવ્યું હતું જેને પગલે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

કાકાબા હોસ્પિટલ તથા ગ્લોબલ હેલ્થ સ્ટ્રેટજીસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હાંસોટની શાળામાં સેનેટરી પેડ ઉપયોગ વિશેનો વર્કશોપ યોજાશે.

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર કાર અને બાઈક અકસ્માતમાં 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત.

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકાના માંગરોળ ગામેથી બે દીપડા રેસ્ક્યુ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!