Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : અમરાવતી નદી ફરી પ્રદુષિત થતા અસંખ્ય માછલીઓનું મૃત્યુ : ફરિયાદ થતાં જીપીસીબી એ તપાસ હાથધરી.

Share

અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ નજીકથી પસાર થતી અમરાવતી નદીમાં પ્રદુષિત પાણીના લીધે અસંખ્ય માછલીઓના મૃત્યુ થયા છે.

આ અગાઉ પણ આવા બનાવો અનેક વખત બન્યા છે. ઘણા જળચર પ્રાણીઓ સહિત પર્યાવરણને ગંભીર નુકસાન થાય છે. પાણીમા ખુલ્લેઆમ પાણી છોડવામા આવે છે જેનાથી મનુષ્યના સ્વાસ્થ્યને પણ ઘણુ નુકશાન પહોંચે છે.

પ્રકૃતિ સુરક્ષા મંડળના હરેશભાઇ પરમારની ફરિયાદના અનુસંધાને જીપીસીબી ઘટના સ્થળે તપાસ કરી છે. જોકે દરેક વખતે તપાસ થાય છે અને ઘટનાઓ બનતી જ રહે છે. લેખિત અને મૌખિક અનેક ફરિયાદો/રજૂઆતો બાદ પણ ગુનેગારો કોણ એ પણ જાણી શકાતું નથી જેથી ગુનેગારોને કોઈ સજા થતી નથી અને આ જ કારણે કાયમી ઉકેલ આવતો નથી.

રિધ્ધી પંચાલ, ભરુચ.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગંગા સ્વરૂપા મહિલાઓને ઘર બેઠા યોજનાકીય લાભ મળતા વડાપ્રધાનને વિશાળ રાખડી અર્પણ કરી.

ProudOfGujarat

ગોધરા : ગાયત્રી પરિવાર દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે તાલુકા પંચાયત પ્રમુખના નિવાસ સ્થાને નવા કાર્યાલયને ખુલ્લુ મુકાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!