Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચનું પાંજરાપોળ હાઉસફુલ.નવા અબોલ પશુ માટે નો એન્ટ્રી.જીવદયા પ્રેમીઓમાં નારાજગી…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાના જે.બી.મોદી પાર્ક પાસે આવેલ પાંજરાપોળમાં નવા કોઈપણ પશુ માટે પ્રતિબંધનું બેનર લગાવવામાં આવ્યું છે જેના કારણે જીવદયા પ્રેમીઓની મુંજવણમાં વધારો થયો છે.ભરૂચના આલી વિસ્તારમાં ચાલતા પાંજરાપોળને અનેક કારણોસર ૪ વર્ષ પેહલા જે.બી.મોદી પાર્ક પાસે અદ્યતન નવ-નિર્મિત સુવિધાવાળા પાંજરાપોળમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યાં ગાય,ભેંસ,બકરા વગેરે અબોલા પશુઓને સુવિધા જનક વાતાવરણમાં રાખવા સાથે તેઓના સ્વાસ્થ્યની પણ સંભાળ રાખવામાં આવે છે.હાલ આ પાંજરાપોળમાં પશુઓની સંખ્યા વધી ગઈ હોવાથી મુખ્ય દરવાજાની બહાર નવા કોઈ પણ પશુઓને રાખવામાં નહિ આવે તેવું બેનર લગાવવામાં આવતા ભરૂચના જીવદયા પ્રેમીઓની મુંજવાળમાં વધારો થયો છે તથા પાંજરાપોળના સંચાલકો સામે નારાજગી જોવા મળી રહી છે.

Advertisement


Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ગામે કન્યા છાત્રાલયમાં ડમ્પર ઘુસાડી દેતા મોટી દુર્ઘટના ટળી.

ProudOfGujarat

અભિનેત્રી વરિના હુસૈન સાત શિપ્રા નદીને સાફ કરવા માટે ઉત્તરાખંડ વન વિભાગની યાત્રામાં જોડાય

ProudOfGujarat

સરકારી ઇમારતોમાં છતો પરથી પોપડા અને ફ્લોરમાંથી ટાઇલ્સ કેમ ઉખડી રહી છે? જાણો ક્યાં,ક્યારે અને કેમ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!