Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચનું પાંજરાપોળ હાઉસફુલ.નવા અબોલ પશુ માટે નો એન્ટ્રી.જીવદયા પ્રેમીઓમાં નારાજગી…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાના જે.બી.મોદી પાર્ક પાસે આવેલ પાંજરાપોળમાં નવા કોઈપણ પશુ માટે પ્રતિબંધનું બેનર લગાવવામાં આવ્યું છે જેના કારણે જીવદયા પ્રેમીઓની મુંજવણમાં વધારો થયો છે.ભરૂચના આલી વિસ્તારમાં ચાલતા પાંજરાપોળને અનેક કારણોસર ૪ વર્ષ પેહલા જે.બી.મોદી પાર્ક પાસે અદ્યતન નવ-નિર્મિત સુવિધાવાળા પાંજરાપોળમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યાં ગાય,ભેંસ,બકરા વગેરે અબોલા પશુઓને સુવિધા જનક વાતાવરણમાં રાખવા સાથે તેઓના સ્વાસ્થ્યની પણ સંભાળ રાખવામાં આવે છે.હાલ આ પાંજરાપોળમાં પશુઓની સંખ્યા વધી ગઈ હોવાથી મુખ્ય દરવાજાની બહાર નવા કોઈ પણ પશુઓને રાખવામાં નહિ આવે તેવું બેનર લગાવવામાં આવતા ભરૂચના જીવદયા પ્રેમીઓની મુંજવાળમાં વધારો થયો છે તથા પાંજરાપોળના સંચાલકો સામે નારાજગી જોવા મળી રહી છે.

Advertisement


Share

Related posts

વડોદરાના નવાયાર્ડમાં પકડાયેલું માસ ગૌવંશનું હોવાનું ખુલતાં ત્રણ સપ્લાયર સહિત 8 સામે ગુનો.

ProudOfGujarat

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ભરૂચ પાસે ડીએફસીસી ટ્રેક ઉપર 100 મીટર લાંબો ‘મેક ઈન ઇન્ડિયા’ લોખંડનો પુલ લોન્ચ કરાયો

ProudOfGujarat

ભરૂચ સી. એ બ્રાન્ચ દ્વારા નેશનલ કોન્ફરન્સ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!