Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- જુનાદીવા ગામે નદીમાં ન્હાવા પડેલા યુવાનો તણાયા.૫ પૈકી ૨ નો બચાવ…

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના જુના દીવા ગામના યુવાનો બોરભાઠા નજીક આવેલ નર્મદા નદીમાં ગરમીના કારણે નાહવા પડ્યા હતા.પરંતુ અચાનક પાણીનો પ્રવાહ વધતાં પાંચ જેટલા યુવાનો નર્મદા નદીમાં ડૂબી જવા પામ્યા હતા.જેમાં બે જેટલા યુવાનોને ગામના વડીલોએ બચાવ્યા હતા જયારે અન્ય ત્રણ યુવાનો હજી પણ લાપતા છે.૫ યુવાનો માંથી રોશન પટેલ અને યતીન પટેલને બચાવી લેવામાં આવ્યા હતા જયારે બીજા મિત્ર વિનય પટેલ, શિવ ભરડીવાલા, અને અનિરુદ્ધ રાજને બચાવા જતા પાણી વધતા તેવો એકદમ તળાય ગયા.ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર ફાયર બ્રિગેડ તથા અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવાનોની શોધખોળ કરવાના પ્રયાસો ચાલુ કર્યા છે. ત્યારે બીજી તરફ અંકલેશ્વરના જુનાદીવા ગામમાં આસમાન તૂટી પડ્યું હોય તેવો માહોલ સર્જાયો છે.

Advertisement


Share

Related posts

માવઠાથી થયેલ પાક નુકશાનીના વળતર માટે ઉમરપાડા કોંગ્રેસની માંગ.

ProudOfGujarat

ગુજરાત હાઇકોર્ટનો આદેશ ઉત્તરાયણની ઉજવણી પર કોઈ રોક લગાવવામાં નહીં આવે.

ProudOfGujarat

વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરવા યુવાઓ આતુર ફુલબજારમાં તેજી હોવાથી ગુલાબના ભાવમાં ઝડપી વધારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!