Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ જિલ્લામાં અખાત્રીજના દિને યોજાનાર લગ્નો પર તંત્રની બાજ નજર રહેશે.બાળલગ્નમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરાશે.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લામાં બાળલગ્નો ઉપર તંત્રએ બાજ નજર રાખી છે. અને એ બાળ લગ્નોમાં સામેલ થનાર ફોટોગ્રાફર, રસોઇયા, મંડપવાળા, ગોર મહારાજ સહિત ભાગ લેનાર તમામ સામે કડકમાં કડક કાર્યવાહીની તંત્રએ ચીમકી ઉચ્ચારી છે. અખાત્રીજના દિવસે મોટી સંખ્યામાં લગ્નો થતા હોય છે. અને તેમાય ઠેર ઠેર સમુહ લગ્નો યોજાતા હોય છે. ત્યારે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી કમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભરૂચ દ્વારા સમગ્ર જિલ્લામાં બાજ નજર રાખવામાં આવી છે.

Advertisement

આ દિવસે જિલ્લામાં બાળ લગ્ન નહી યોજાય તે માટે વહીવટી તંત્ર અને જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી કમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. બાળલગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી એમ.વી.મુનિયાએ જણાવ્યુ હતુ કે, છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય તો તે સજાપાત્રગુનો બને છે. બાળલગ્ન ન થાય તે માટે તંત્ર હવે કડક બન્યુ છે. અને બાળ લગ્નમાં હાજરી આપનાર વિધિમાં ભાગ લેનાર, સંચાલન કરનાર, ગોર મહારાજ, રસોઇયા, મંડપવાળા, ફોટોગ્રાફર, બેન્ડબાજાવાળા, બાળલગ્ન કરાવનાર બાળકના માતા-પિતા તમામ સામે કડક કાર્યવાહી થશે.

આ અધિનિયમ હેઠળ બાળલગ્ન કરનાર અને કરાવનારને બે વર્ષની સખત કેદની સજા અને ૧ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઇ છે. ત્યારે સમુહ લગ્નોના આયોજકોને પણ લગ્નગ્રંથીથી જોડાનાર યુગલોની જન્મતારીખના દાખલાની ખરાઇ કરી લેવા માટે તાકીદ કરવામાં આવી છે. અખાત્રીજના દિવસે થનાર લગ્નોમાં કોઇ બાળ લગ્નો ન યોજાય તે માટે તંત્રએ ખાનગી રાહે બાતમીઓ મેળવવાનું અને લગ્નો ઉપર બાજ નજર રાખવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

બાળલગ્ન અટકાવવા માટેની જાણ કરવા માટે બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી ફોન નં-૦૨૬૪૨-૨૬૩૮૨૩, જીલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી- ફોન નં-૦૨૬૪૨-૨૫૦૩૧૫ તથા ચાઈલ્ડ લાઈન-૧૦૯૮ અને અભયમ મહિલા હેલ્પલાઈન નં-૧૮૧ તથા પોલિસ કન્ટ્રોલ નંબર-૧૦૦ પર જાણકારી આપી શકાશે.


Share

Related posts

ઝગડિયા જી આઈ ડી સી ના અસર ગ્રસ્ત ગામો મળવાપાત્ર ગ્રાન્ટો થી વંચિત કેમ? તંત્ર નું દુર્લક્ષ્ય કે પ્રજા માં જાણકારી નો અભાવ?

ProudOfGujarat

પાલેજ નગરની સાડા ચાર વર્ષની ફાતિમાએ જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી.

ProudOfGujarat

મણિપુરમાં હિંસા અને અત્યાચારને રોકવા ભરૂચના જે.પી કોલેજના વિધાર્થીસંઘએ કલેકટરને આપ્યું આવેદનપત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!